નવરાત્રિના પહેલા દિવસે, 22 સપ્ટેમ્બરે, સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત થયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સકારાત્મક સમાચાર આપ્યા છે. તેમણે દેશવાસીઓને ભવિષ્યમાં પણ GST અને અન્ય કરોમાં વધુ ઘટાડાની સંભાવનાઓ વિશે જાણકારી આપી અને કર સુધારાની પ્રક્રિયા ચાલુ રાખવાની ખાતરી આપી. પીએમ મોદીએ જણાવ્યું કે, 2014માં રૂ. 1 લાખની ખરીદી પર લાગતો કર લગભગ રૂ. 25,000 હતો, જે હવે ઘટાડીને રૂ. 5,000–6,000 કરવામાં આવ્યો છે, જે સામાન્ય નાગરિકોને સીધી બચત અને પરિવારો માટે વધારાનો નાણાકીય લાભ પૂરો પાડે છે.
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi arrives to inaugurate the Uttar Pradesh International Trade Show-2025 (UPITS-2025) at Greater Noida.
The trade show, under the theme 'Ultimate Sourcing Begins Here', will be held from 25th to 29th September.… pic.twitter.com/jjdw9OpTVG
— ANI (@ANI) September 25, 2025
ગુરુવારે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GSTમાં ઘટાડા અને તેનાથી થતી બચત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, દેશ હવે GST બચત મહોત્સવ ઉજવી રહ્યો છે, અને સરકાર રોકાવાની સ્થિતિમાં નથી. પીએમ મોદીએ કહ્યું કે, 2017માં GST લાગુ કરવામાં આવ્યું અને આર્થિક મજબૂતી સાથે કામગીરી કરી, જે વર્ષ 2025માં ફરીથી સુધારાશે, જેથી અર્થતંત્ર વધુ મજબૂત બની અને કરનો બોજ ઘટે. તેમનું માનવું છે કે, જેમ જેમ દેશનું અર્થતંત્ર મજબૂત થશે તેમ તેમ સામાન્ય નાગરિકો અને વેપારીઓ પર લાગતો કરનો બોજ પણ ઓછી થશે.
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "I am happy that more than 2250 exhibitors are displaying their products and services. This time, the country partner of the trade show is Russia, which means we are further strengthening this time-tested… pic.twitter.com/SEVcqpkiiV
— ANI (@ANI) September 25, 2025
2014 પહેલા, વિવિધ ટેક્સની અફેરમાં જટિલતા હોવાથી દેશની ટેક્સ પ્રણાળી ગૂંચવણભરી બની હતી, જેના કારણે વ્યવસાયિક ખર્ચ અને કૌટુંબિક બજેટ સંતુલિત રાખવો મુશ્કેલ થઈ રહ્યું હતું. ઉદાહરણ તરીકે, રૂ. 1,000 કિંમતના શર્ટ પર 2014માં રૂ. 117 ટેક્સ લાગતો, 2017માં GST લાગ્યા પછી તે રૂ. 50 થઈ ગયો અને 22 સપ્ટેમ્બરે આ ટેક્સ વધુ ઘટીને માત્ર રૂ. 35 થઇ ગયો છે. આવા જ રીતે ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ જેવી સામાન્ય વસ્તુંઓ પર ટેક્સ 2014માં રૂ. 31 હતી, જે 2017માં રૂ. 18 થઇ, અને હવે રૂ. 105 ખર્ચ પર તે ઘટીને રૂ. 105 થઈ ગયેલી છે.
#WATCH | Gautam Buddha Nagar, UP | "… Bharat jaise desh ko kisi par nirbhar rehna, ab manzoor nahi hai…," says Prime Minister Narendra Modi
He also says, "… Despite the global disruptions and uncertainties, India's growth is attractive. Disruptions don't hinder us, but… pic.twitter.com/N7rEtQmz9U
— ANI (@ANI) September 25, 2025
ખેતી અને વાહન ક્ષેત્રમાં પણ GST ઘટાડાનો સારો અસર જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, 2014 પહેલાં ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 70,000થી વધુ ટેક્સ લાગતો હતો, જે હવે માત્ર રૂ. 30,000 થયો છે, જેના કારણે ખેડૂતો સીધી રૂ. 40,000 સુધીની બચત કરી રહ્યા છે. થ્રી-વ્હીલર વાહનો પર પહેલા રૂ. 55,000નો ટેક્સ લાગતો, હવે રૂ. 35,000 થયો, જેનાથી સીધી રૂ. 20,000ની બચત થઈ છે. સ્કૂટર અને મોટરસાયકલ પણ સસ્તા થયા છે, જે અનુક્રમે રૂ. 8,000 અને રૂ. 9,000 સુધી ઓછું ખર્ચ આવે છે. આ પગલાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સીધી અને સ્પષ્ટ લાભકારી સાબિત થાય છે.
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "… The changes in GST are structural reforms that will give wings to the country's growth story. GST registration will become easier, tax disputes will be fewer, and MSMEs will get speedy refunds…"… pic.twitter.com/omlDLoU1ep
— ANI (@ANI) September 25, 2025
પીએમ મોદીએ કર મુક્તિ અને GST સુધારા અંગે ચર્ચા કરતી વખતે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે, 2014 પહેલાં અનેક ટેક્સ અને મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો પર ભાર પડ્યો હતો, અને કોંગ્રેસ સરકાર તેના નિષ્ફળતાને છુપાવવા માટે ગેરમાર્ગે દોરી રહી હતી. પીએમ મોદીએ જણાવ્યુ કે, તેમની સરકાર GST અને આવકવેરા સુધારાઓ દ્વારા સામાન્ય નાગરિકોને 2.5 લાખ કરોડ રૂપિયાની બચત આપી રહી છે, તેમજ આવકવેરા મુક્તિ 2 લાખ રૂપિયા સુધીની આવકમાંથી 12 લાખ રૂપિયા સુધી વધારીને વધારે લોકો લાભ મેળવી રહ્યા છે. આ તમામ પગલાંઓના કારણે દેશના નાગરિકો માટે ટેક્સનો બોજ ઓછો થયો છે, ખરીદી અને જીવનવ્યયમાં કિફાયતી વધારવામાં મદદ મળી છે, અને આર્થિક સમૃદ્ધિ તરફ ભારત વધુ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "… To hide their pre-2014 failures, Congress and its allies are lying to the people… We have increased the income and savings of the people of India… We are not going to stop here… As we continue to… pic.twitter.com/9Zt9mhhJB9
— ANI (@ANI) September 25, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel