દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે “કોઈ અમારા પર દબાણ કરી શકશે નહીં” અને જે કોઈ આ સંકટ માટે જવાબદાર છે, તેને સખત પરિણામો ભોગવવાનો સમય આવી ગયો છે.
મંત્રીએ જણાવ્યું કે મુસાફરોને પહોંચી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. DGCAએ પરિસ્થિતિની સંપૂર્ણ અને નિષ્પક્ષ સમીક્ષા માટે 4 સભ્યોની ઉચ્ચ-સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જે પાયલોટ્સની અછત, FDTL નિયમોના અમલીકરણમાં ખામીઓ અને એરલાઇનના ઓપરેશનલ પ્લાનિંગમાં થયેલી ભૂલો જેવા તમામ પાસાંઓની વિગતો સાથે તપાસ કરશે.
કમિટી જવાબદારી નક્કી કરવાથી લઈને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટેની ભલામણો પણ કરશે. તાત્કાલિક નિયંત્રણ મેળવવાના ભાગરૂપે DGCAએ FDTLના કેટલાક આદેશોને થોડા સમય માટે મુલતવી રાખ્યા છે, જેથી ફ્લાઇટ શેડ્યૂલ સ્થિર બની શકે, પરંતુ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે હવાઈ સલામતી સાથે કોઈ સમાધાન નહીં થાય.
ઇન્ડિગોને ઑપરેશન્સ તરત જ સામાન્ય કરવા અને મુસાફરોને રાહત મળે તેવા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાથી એર ટિકિટના ભાડામાં થયેલા વધારાને લઈ મુસાફરોમાં ઊભી થયેલી નારાજગી અને ટ્રાવેલ પ્લાનમાં થયેલી અસ્તવ્યસ્તીને ગંભીરતાથી લઈ સરકારે સમગ્ર મામલે જવાબદારી નિર્ધારિત કરવા દિશા આપતા કડક વલણનું સંકેત આપ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel