મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર આવેલા ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ. શક્તિ, શ્રદ્ધા અને ભારતીય પ્રાચીન પરંપરાનું પ્રતીક ગણાતું આ વિશાળ ત્રિશૂળ 16 ફૂટ ઊંચું અને અંદાજે 600 કિલોગ્રામ વજન ધરાવે છે. તેની સ્થાપનાથી અંબાજી ધામ તરફ દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને માર્ગમાં જ આધ્યાત્મિક ઉર્જા અને દિવ્ય શક્તિની અનુભૂતિ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ સંપન્ન કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલોગ્રામ વજન ધરાવતું આ વિશાળ ત્રિશૂળ… pic.twitter.com/jsrNxyngYR
— CMO Gujarat (@CMOGuj) February 7, 2026
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે શ્રી શક્તિ ત્રિશૂળ માત્ર એક ધાર્મિક પ્રતીક નથી, પરંતુ માતાજીની અખંડ કૃપા, સંસ્કૃતિના પુનર્જાગરણ અને આસ્થાની અડગતા દર્શાવતું જીવંત સ્વરૂપ છે. અંબાજી યાત્રા માર્ગ પર તેની સ્થાપનાથી યાત્રાળુઓના મનમાં શ્રદ્ધાનો ભાવ વધુ મજબૂત બનશે અને આ વિસ્તાર એક નવા આધ્યાત્મિક આકર્ષણ તરીકે ઓળખાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે રાજ્ય સરકાર યાત્રાધામોના સર્વાંગી વિકાસ સાથે સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા પ્રતિબદ્ધ છે, જેથી આવનારી પેઢીઓ પણ આપણા આસ્થાના કેન્દ્રો સાથે ગાઢ રીતે જોડાયેલી રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel