Jawaharlal Nehru University (JNU) ફરી એકવાર હિંસક ઘટનાઓને કારણે ચર્ચામાં આવ્યું છે. ગુરુવારે (26 ફેબ્રુઆરી) યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ. ‘લોંગ માર્ચ’ના બહાને કેટલાક ડાબેરી વિદ્યાર્થી સંગઠનો દ્વારા દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે Delhi Police દ્વારા કેમ્પસના ગેટ પાસે બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસ સાથે ઝપાઝપી કરી અને કેટલીક જગ્યાએ પથ્થરમારો પણ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
માહિતી મુજબ JNU Students’ Union (JNUSU) દ્વારા શિક્ષણ મંત્રાલય સુધી ‘લોંગ માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કેમ્પસ બહાર પ્રદર્શન માટે મંજૂરી ન આપવામાં આવતા વિદ્યાર્થીઓએ લોખંડના ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે તંગદિલી વધતાં અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસકર્મીઓ પર બૂટ અને ચંપલ ફેંક્યા હોવાના અને તેમને બચકાં ભર્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેને કારણે સમગ્ર ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
JNU student protest case | Patiala House Court in Delhi granted bail to all accused students on a bail bond of Rs. 25,000 each.
The court has directed the verification of the bail bond.
— ANI (@ANI) February 27, 2026
આ અથડામણમાં ACP રેન્કના અધિકારી સહિત 25થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના પગલે દિલ્હી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને JNUSU સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓને અટકાયત કરી. પોલીસ દ્વારા JNUSU પ્રમુખ અદિતિ મિશ્રા, પૂર્વ પ્રમુખ નિતિશ કુમાર, ઉપાધ્યક્ષ ગોપિકા બાબુ અને સંયુક્ત સચિવ ડેનિશ અલી સહિત કુલ 51 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ મામલે Vasant Kunj પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ, પોલીસ પર હુમલો અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપો સામેલ હતા.
જો કે 27 ફેબ્રુઆરીની સવારે Patiala House Court દ્વારા તમામ આરોપીઓને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે આરોપીઓ રીઢા ગુનેગાર નથી અને તેમને જામીન પર મુક્ત કરી શકાય છે.
વિરોધ પ્રદર્શન પાછળનું કારણ JNUના વાઇસ ચાન્સેલર Shantisree Dhulipudi Pandit સામે ડાબેરી વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે વાઇસ ચાન્સેલરે એક પોડકાસ્ટ દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને તેઓ રાજીનામાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ મુદ્દો માત્ર બહાનું છે અને કેમ્પસમાં રાજકીય દબાણ ઊભું કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
JNU પ્રશાસને પણ આ મામલે નિવેદન જારી કરીને કહ્યું છે કે વિદ્યાર્થીઓને કેમ્પસની અંદર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી, કારણ કે કેમ્પસ બહાર પ્રદર્શન કરવાની મંજૂરી નહોતી. પ્રશાસને આરોપ લગાવ્યો છે કે કેટલાક વિદ્યાર્થી નેતાઓ તોડફોડ અને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ હતા. હાલ કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણમાં હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel