અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હોવાનું બહાર આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એયરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા 12 જુલાઈની મધ્યરાત્રે બહાર પાડવામાં આવેલ 15 પાનાંના પ્રાથમિક અહેવાલ મુજબ ટેક ઑફ બાદના માત્ર 31 સેકન્ડમાં વિમાની બંને ફ્યુઅલ કટ ઑફ સ્વિચ ‘રન’ સ્થિતિમાંથી ‘કટ ઑફ’ પર સેટ થઈ ગઈ હતી, એટલે કે એન્જિનને ઇંધણ પૂરું પડવાનું બંધ થઈ ગયું હતું. આ પરિવર્તન એક જ સેકન્ડના અંતરમાં બંને એન્જિનો માટે થયો હતો, જેના કારણે વિમાન તાત્કાલિક ઊંચાઈ ગુમાવતું ગયું અને ટૂંક સમયમાં જ ક્રેશ થઈ ગયું.
ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડિંગના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ટેક ઑફ દરમિયાન વિમાને 54,200 કિલોગ્રામ જેટલું ઇંધણ ભરીને 2,13,401 કિલોગ્રામના વજન સાથે ઉડાન ભરી હતી, જે તેની ટેકનિકલ મર્યાદા 2,18,183 કિલોગ્રામની અંદર હતું. વિમાને સવારે 1:37 કલાકે ટેક ઑફ માટે ક્લિયરન્સ મેળવ્યું અને 1:38:33 વાગ્યે ટેક ઑફ કર્યું હતું. ટેક ઑફ પછી 180 નોટ્સની ઝડપ પર એન્જિનની ફ્યુઅલ સપ્લાય કટ થતાં વિમાન ઊંચાઈ પકડવામાં નિષ્ફળ રહ્યું અને RAT (રેમ એર ટર્બાઇન) ઓટોમેટિક રીતે બહાર આવી ગઈ હતી. RAT ત્યારે ખુલે છે જ્યારે વિમાનમાં બંને એન્જિન કે વિજળી ઉત્પાદન બંધ થઈ જાય છે.
12 जून 2025 को अहमदाबाद में हुए एयर इंडिया की फ्लाइट AI171 (Boeing 787-8, रजिस्ट्रेशन VT-ANB) के दुर्घटना की प्रारंभिक जांच का रिपोर्ट :
दुर्घटना का मुख्य कारण
(अब तक की जानकारी के अनुसार):
टेक-ऑफ के तुरंत बाद दोनों इंजनों (Engine 1 और Engine 2) के फ्यूल कंट्रोल स्विच "RUN"… pic.twitter.com/frg0sDvBKT
— One India News (@oneindianewscom) July 12, 2025
કોકપિટ રેકોર્ડિંગ મુજબ, પાયલોટ વચ્ચે એ વાતચીત થઇ હતી કે એક પાયલોટ બીજાને પૂછે છે: “તમે કટ ઑફ કેમ કર્યું?” ત્યારે બીજો પાયલોટ જવાબ આપે છે કે તેણે એવું કરેલું નથી. જોકે, કેટલાંક સેકન્ડોમાં બંને એન્જિન ફરીથી ‘રન’ પર સેટ કરાયા હતા અને FADEC (Full Authority Digital Engine Control) સિસ્ટમએ એન્જિન રીસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. એન્જિન 1 ધીમે ધીમે રિકવર થવાનું શરૂ કર્યુ, પણ એન્જિન 2 ફરી ધીમું પડતું રહ્યું. વિમાનની ઊંચાઈ પણ ઓછી હોવાના કારણે એન્જિનને ઝડપ પકડવામાં પૂરતો સમય નહોતો મળ્યો. છેલ્લે 1:39:05 વાગે પાયલોટે ‘મેડે મેડે મેડે’ કહ્યા પછી માત્ર છ સેકન્ડમાં રેકોર્ડિંગ બંધ થઈ ગયું અને વિમાન પતન પામ્યું.
અહેવાલ અનુસાર વિમાનમાં કોઈ અન્ય ટેકનિકલ ખામી નહોતી અને ટેક ઑફ પહેલાં વિમાનની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી. વિમાને કોઈ ખતરના સામાન પણ ભરી રાખ્યો ન હતો. આ સમગ્ર ઘટનામાં માનવ ભૂલ (human error) કે કોઈ ઈન્ટરનલ કોકપિટ મલફંક્શનની સંભાવના સામે આવી રહી છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. AAIB હવે તપાસના બીજા તબક્કા માટે તૈયાર છે જેમાં માનવ ભૂલ, પાયલોટની તાલીમ અને કોકપિટ ક્રિયાઓ પર વધુ વિસ્તારથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.