ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે, કારણ કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા રાજ્યને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 33 વર્ષ પછી ગુજરાતમાં વાઘની કાયમી હાજરી નોંધાતા આ દરજ્જો પરત મળ્યો છે, જેને લઈ પર્યાવરણવિદો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં સાડા ચાર વર્ષનો નર વાઘ છેલ્લા કેટલાક સમયથી સ્થાયી થયો છે, અને તેની સતત હાજરી સાથે અનુકૂળ રહેઠાણ અને ખોરાકની ઉપલબ્ધિને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાઘના પુનરાગમનથી રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયત્નોને નવી દિશા મળી છે.
આ સિદ્ધિ સાથે હવે આગામી 2026ની વાઘ વસ્તી ગણતરીમાં ગુજરાતનો વિધિવત સમાવેશ કરવામાં આવશે, જે રાજ્ય માટે વધુ ગૌરવની બાબત છે. રતનમહાલ વિસ્તારમાં વાઘની હાજરીથી ઇકો-ટુરિઝમ, સ્થાનિક રોજગાર અને સંરક્ષણ પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી અપેક્ષા છે. વાઘની કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે વન વિભાગે માદા વાઘ લાવવાની તૈયારી અને માંગ પણ શરૂ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વિકસિત થઈ શકે. ગીરના સિંહ અને સમગ્ર રાજ્યમાં દીપડાની મજબૂત વસતી બાદ હવે વાઘની હાજરીથી ગુજરાત વન્યજીવ વૈવિધ્ય અને સંરક્ષણના ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બનીને ઊભર્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel