મુઘલ આક્રાંતા બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર આભાસ માલદહિયારે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજાયેલા લિટરેચર ફેસ્ટિવલમાં તેમનું નક્કી કરાયેલું સત્ર રદ કરી દેવામાં આવ્યું છે. સત્ર રદ કરવા પાછળનું કારણ એ આપવામાં આવ્યું કે તેમના પુસ્તકમાં બાબરનું મહિમામંડન કરવામાં આવ્યું છે. આ આરોપોને નકારી કાઢતાં આભાસે સ્પષ્ટ કહ્યું છે કે તેમના પુસ્તકમાં ક્યાંય પણ બાબરનું મહિમામંડન કરવામાં આવ્યું નથી અને કોઈએ પહેલા પુસ્તક વાંચવું જોઈએ. તેમણે દાવો કર્યો કે આ પુસ્તક સંપૂર્ણપણે ઐતિહાસિક સ્ત્રોતો પર આધારિત છે અને તેમાં તથ્યો રજૂ કરવામાં આવ્યા છે, વખાણ નહીં.
આભાસ માલદહિયારે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે ‘સ્વદેશ’ નામના અખબાર પર તેમના પુસ્તક વિશે ખોટી અને ભ્રામક માહિતી પ્રકાશિત કરવાનો આરોપ મૂક્યો છે. આ અહેવાલ પછી કેટલાક સંગઠનોએ લિટરેચર ફેસ્ટિવલમાં તેમના સત્રનો વિરોધ શરૂ કર્યો, જેના પગલે આયોજકોએ સત્ર રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું આભાસે જણાવ્યું. તેમણે વિરોધ કરનારાઓને ખુલ્લો પડકાર આપતાં કહ્યું છે કે જો કોઈને લાગે છે કે પુસ્તકમાં બાબરનું મહિમામંડન છે તો તેઓ આગળ આવીને પુસ્તકમાંથી એક પાનું પણ બતાવે, જેમાં આવું લખેલું હોય.
I had no option but to write this open letter to the Hon’ble Prime Minister, @narendramodi ji.
My scheduled session on my new book, Babur: The Quest for Hindustan, at the @bhopal_lit_fest 2026 was cancelled after the newspaper Swadesh published false and defamatory reports… pic.twitter.com/GnVWkkJNy6
— Aabhas Maldahiyar 🇮🇳 (@Aabhas24) January 11, 2026
આભાસે વધુમાં જણાવ્યું કે આ જ પુસ્તકને લઈને અગાઉ વામપંથી વિચારધારાના લોકો તેમને બાબરની કઠોર ટીકા કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે, જે પોતે જ સાબિત કરે છે કે પુસ્તકમાં કોઈ એકતરફી મહિમામંડન નથી. લેખકના જણાવ્યા મુજબ, આ પુસ્તક એવા થોડાક પુસ્તકોમાંનું એક છે, જે મૂળ ઐતિહાસિક સ્ત્રોતો પર આધારિત છે અને જેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે જેમને મુઘલો કહેવાયા છે, તેમણે ભારતની ધરતીને ક્યારેય પોતાની ભૂમિ તરીકે માન્યતા આપી નથી.
આભાસ માલદહિયારે બાબર પર કુલ બે પુસ્તકો લખ્યા છે, જેમાં બાબરના જીવન, આક્રમણો અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને વિગતે રજૂ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આ પુસ્તકોમાં અનેક એવા તથ્યો સમાવાયા છે, જેને અત્યાર સુધી વામપંથી ઇતિહાસકારોએ અવગણ્યા કે છુપાવ્યા હતા. તેમણે વડા પ્રધાન સમક્ષ આ સમગ્ર ઘટનાની નોંધ લેવા અને વિચાર કરવાની માંગ કરી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો આભાસના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને સત્ર રદ કરવાના નિર્ણયને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ઘા ગણાવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel