અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ્લેષકો આ કરારને ભારત માટે હાર અને અમેરિકા માટે લાભકારક ગણાવી રહ્યા છે. આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે કે કેવી રીતે આ કરાર ભારતની કપાસ ઉદ્યોગ, નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રભાવ પાડશે.
રાહુલ ગાંધીના દાવાઓનો પીયૂષ ગોયલનો જવાબ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના દાવાઓ પર તીખો પ્રહાર કર્યો છે. ગોયલે કહ્યું કે “મને સમજ નથી પડતી કે આટલા અણસમજૂ વ્યક્તિને નેતા વિપક્ષ તરીકે બનાવ્યો કેમ? તેઓ સતત ખોટા નિવેદનો આપે છે અને અર્થતંત્રની સમજ વિના લોકોમાં ભ્રમ ફેલાવે છે.”
ગોયલના નિવેદનમાં જણાવાયું કે, રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ યુનાઇટેડ સ્ટેટ્સથી યાર્ન અથવા કપાસ ખરીદે છે, તો તેને શૂન્ય ડ્યુટી પર અમેરિકામાં નિકાસની છૂટ આપવામાં આવી છે, જે દેશ માટે અનુકૂળ નથી. પરંતુ ગોયલે સ્પષ્ટ કર્યું કે ભારતીય નિકાસકારોને પણ આ જ વિશેષાધિકાર મળશે, અને આ કોઈ નવી સિસ્ટમ નથી, પરંતુ પૂર્વમાંથી જ આ જોગવાઈ અમલમાં છે.
કપાસ ઉદ્યોગ માટે ફાયદા
ગોયલે વધુમાં જણાવ્યું કે આ નીતિથી ભારતની કપાસ ઉત્પાદન ક્ષમતા વધશે અને માંગ વધવાથી નિકાસમાં વધારો થશે. તેમણે કહ્યું, “આ જોગવાઈ વર્ષોથી વિદેશી વેપાર નીતિનો ભાગ છે. SEZ કાયદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કાચા માલને શૂન્ય ડ્યુટી પર આયાત કરી, પ્રક્રિયા કરી અને નિકાસ કરી શકાય છે. આથી રોજગાર વધશે, વિદેશી વિનિમયમાં વધારો થશે અને ભારતની આર્થિક શક્તિ મજબૂત બનશે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel