પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણ અને ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. ગુરુવારે (2 એપ્રિલ) યોજાયેલી દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં સરકારના વિવિધ મંત્રાલયોએ હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.
60 દિવસનો ક્રૂડ સપ્લાય સુરક્ષિત
પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઈલનો પુરવઠો સુરક્ષિત કરવામાં આવ્યો છે. તમામ રિફાઇનરીઓ મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત છે અને સલ્ફર જેવી આવશ્યક સામગ્રીની પણ કોઈ અછત નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે તમામ રિટેલ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કાર્યરત છે અને ઈંધણના ભાવમાં તાત્કાલિક વધારાની કોઈ શક્યતા નથી. ભાવોને સ્થિર રાખવા માટે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર આવનારા વધારાના ભારણને પોતે વહન કરવાનો નિર્ણય લીધો છે.
#Crude supplies have been secured for the next 60 days, and our crude inventories remain sufficient. Refineries are operating at maximum capacity, and there is no shortage of sulphur. Our retail outlets are functioning normally. Despite international volatility, there has been no… pic.twitter.com/76D8YI0vvj
— PIB India (@PIB_India) April 2, 2026
પર્શિયન ગલ્ફમાં ભારતીય જહાજો પર નજર
શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલે જણાવ્યું કે હાલ Persian Gulf વિસ્તારમાં ભારતના 18 જહાજો કાર્યરત છે, જેમાં કુલ 485 ભારતીય ક્રૂ સભ્યો છે. સરકાર સતત તેમના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
સરકારે અત્યાર સુધીમાં 975 ભારતીય ક્રૂ સભ્યોને સ્વદેશ પરત લાવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોનો સમાવેશ થાય છે.
The Government of India has been closely monitoring the situation of Indian nationals in Iran and has been facilitating their safe movement through its embassy. So far, around 1,200 Indian nationals, including 845 students, have been assisted in exiting Iran through land borders… pic.twitter.com/p2BgmKBQnh
— PIB India (@PIB_India) April 2, 2026
વિદેશોમાં ભારતીયોની સુરક્ષા પર ખાસ ધ્યાન
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ખાડી દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. Iranમાંથી અત્યાર સુધીમાં 845 વિદ્યાર્થીઓ સહિત કુલ 1200 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
આ નાગરિકોને આર્મેનિયા અને અઝરબૈજાન મારફતે સરહદ પાર કરીને ભારત પરત લાવવામાં આવ્યા છે. સરકારે આ બંને દેશોની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આંતરમંત્રાલય જૂથ દ્વારા સતત મોનીટરીંગ
પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે ભારત સરકારે એક આંતરમંત્રાલય જૂથની રચના કરી છે. આ જૂથ દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરી નિર્ણયો લઈ રહ્યું છે, જેથી દેશ અને વિદેશમાં રહેલા ભારતીયોને કોઈ મુશ્કેલી ન પડે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel