18 જાન્યુઆરી 2025 ભારતના નૌસેના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ બન્યો છે, કારણ કે આજના દિવસે ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) ‘INS નિસ્તાર’ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થયું છે. આ પ્રગતિશીલ ક્ષમતા વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ ડૉકયાર્ડમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠીની ઉપસ્થિતિમાં ભારતીય નૌસેનાને સોંપવામાં આવી હતી. INS નિસ્તાર સંપૂર્ણપણે ભારતની હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરાયું છે, અને તે 80%થી વધુ સ્વદેશી ટેક્નોલોજી અને સામગ્રીથી તૈયાર થયું છે. 9350 ટન વજન અને 120 મીટર લાંબી આ તાકાતવર નૌકાએ ભારતને સમુદ્રી સુરક્ષા અને આત્મનિર્ભરતા ક્ષેત્રે એક નવો આયામ આપ્યો છે.
India’s 1st indigenously built Diving Support Vessel, Nistar, will be commissioned at Visakhapatnam today 18 Jul 25 by Hon’ble Raksha Rajya Mantri Shri Sanjay Seth. Designed & built by HSL, Nistar is a giant leap towards IN's Diving & S/M rescue ops #Aatmanirbharta #IndianNavy pic.twitter.com/EqQSWSwvuB
— Defence PRO Visakhapatnam (@PRO_Vizag) July 17, 2025
INS નિસ્તાર માત્ર એક સહાયક જહાજ નથી, તે એક વિશિષ્ટ ટેક્નોલોજી સાથે સજ્જ “સાયલન્ટ કિલર” છે જે ઊંડા સમુદ્રમાં ગુપ્તચર અભિયાન, ડાઇવિંગ મિશન અને તાત્કાલિક બચાવ કામગીરી માટે બનેલું છે. તેનું નામ ‘નિસ્તાર’ સંસ્કૃત ભાષામાં મુક્તિ અથવા બચાવના અર્થ સાથે સીધો સંબંધ ધરાવે છે, જે તેનું ધ્યેય પણ દર્શાવે છે. આ જહાજમાં 200થી વધુ નેવીના કર્મચારીઓને તહેનાત કરી શકાય છે અને તે બંદર પર પાછા ફર્યા વિના સતત 60 દિવસ સુધી સમુદ્રમાં કાર્યરત રહી શકે છે. તેમાં હેલિકોપ્ટર ઓપરેશન માટે પ્લેટફોર્મ અને આવશ્યક સાધનો ઉપલબ્ધ છે, જે કટોકટીની સ્થિતિમાં વધુ ઝડપથી રાહત અને બચાવ કામગીરી શક્ય બનાવે છે.
INS નિસ્તારની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વ્હીકલ (DSRV)થી સજ્જ છે, જે સમુદ્રમાં 650 મીટર સુધી ઊંડાણમાં જઈ શકે છે અને ફસાયેલી સબમરીનમાં રહેલા નૌકાદળના સૈનિકોને સલામત રીતે બહાર લાવી શકે છે. અગાઉ આવી ઘટનામાં ભારતે ONGC અથવા ખાનગી કંપનીઓ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે INS નિસ્તાર અને આગામી INS નિપુણના સમાવેશથી ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર બનશે. INS નિસ્તાર પૂર્વ કિનારા પર કાર્યરત રહેશે જ્યારે INS નિપુણ પશ્ચિમ કિનારા પર તૈનાત કરવામાં આવશે, જેથી સમગ્ર કોસ્ટલ ઝોન સમુદ્રી દુર્ઘટનાઓથી સુરક્ષિત રહે.
आईएनएस निस्तार, भारत का पहला स्वदेशी डिज़ाइन किया गया डाइविंग सपोर्ट वेसल, आज भारतीय नौसेना में शामिल होगा#INSNistar | #IndianNavy |#DivingSupportVessel | #NavalCommissioning | #MakeInIndia | #MaritimeStrength | #IndiaDefence | pic.twitter.com/3uu3ZBRnP0
— One India News (@oneindianewscom) July 18, 2025
INS નિસ્તારની કામગીરી અત્યંત વિશિષ્ટ અને વ્યાપક છે. જો સમુદ્રમાં કોઈ સબમરીન ફસાઈ જાય, તો આ જહાજ તેના રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROV) દ્વારા સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે અને બચાવ કામગીરી શરૂ કરે છે. ROV અને સાથોસાથ માઝ, સોનાર અને હાઇ ટેક કમ્યુનિકેશન સિસ્ટમ્સ દ્વારા ફસાયેલી સબમરીનના ક્રૂને બચાવવા માટે જરૂરી સાધનો અને ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. આ જહાજનો ઉપયોગ ડૂબેલી નૌકાઓ અથવા અન્ય વિશિષ્ટ સમુદ્રી સાધનોને શોધવા અને બહાર કાઢવા માટે પણ થઈ શકે છે.
INS નિસ્તારના ઉમેરા સાથે ભારત હવે સમુદ્રી બચાવક્ષમતા, આંતરરાષ્ટ્રીય નૌકાદળ સ્તરે ટેક્નોલોજી અને આત્મનિર્ભરતામાં એક નવો માઇલસ્ટોન પાર કરી ચૂક્યું છે. આ માત્ર ભારતની નૌસેના માટે નહીં, પણ સમગ્ર દેશ માટે ગૌરવનો ક્ષણ છે, કારણ કે હવે હિંદના ક્ષેત્રમાં ભારતની રણનૈતિક વધુ મજબૂત અને સ્વયંભર બનશે.