એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે 23 ડિસેમ્બરની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એજન્સીએ જિલ્લાના બે મહત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી, જેમાં જિલ્લાના મુખ્ય અધિકારીઓના નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે. EDની ટીમોએ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન તેમજ વઢવાણના રાવળવાસ વિસ્તારમાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના આવાસ પર એકસાથે તપાસ શરૂ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન એજન્સીના આઠથી વધુ વાહનો સ્થળ પર પહોંચ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા સર્જાઈ હતી. જોકે, અધિકારીઓએ દરોડાના ચોક્કસ કારણો અંગે સત્તાવાર માહિતી જાહેર કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી તપાસ દરમિયાન અગાઉ સામે આવેલા કેસો સાથે જોડાયેલી ઘણી બેનામી અને કથિત અઘોષિત સંપત્તિઓ અંગે માહિતી મળી હોવાની શક્યતા છે, જેને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ED દ્વારા લાંબા સમયથી આ મામલે તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન વિવિધ સંપત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જિલ્લામાં નાણાકીય ગેરરીતિઓ અને અઘોષિત સંપત્તિઓના સંદર્ભમાં આ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી માત્ર અધિકારીઓના નિવાસસ્થાનો સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ બાદમાં શહેરમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને વકીલોની ઓફિસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel