કચ્છ કુકમામાં કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂત ઉત્પાદક સંગઠનો જોડાયાં હતા. અહીંયા ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય હોવાનું જણાવાયુ.
વી.આર.ટી.આઈ. સંસ્થા અને નાબાર્ડ કચેરી દ્વારા કચ્છ કુકમામાં એલ.એલ.ડી.સી. સંસ્થામાં ખેડૂત ઉત્પાદક સંગઠનો માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો.
કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં તેઓ દ્વારા અહીંયા જોડાયેલ ખેડૂતોને ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય હોવાનું જણાવાયુ. તેમણે સરકાર સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખેડૂત ઉત્પાદક સંગઠનો ( એફ.પી.ઓ. ) માટેની કામગીરીને બિરદાવી. અહીંયા નમૂનેદાર કામ કરનાર સંગઠનોનું અભિવાદન થયું.
નાબાર્ડ કચેરીનાં વડા સિંઘલે નાના ખેડૂતો માટે આ ખેડૂત ઉત્પાદક સંગઠનોની ભૂમિકા મહત્વની જણાવી.
પ્રારંભે વી.આર.ટી.આઈ. સંસ્થાના મનુભાઈ ચૌધરીએ સમાજસેવી ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ સ્થાપિત આ સંસ્થાનાં પરિચય સાથે અહીં જોડાયેલ કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના સંગઠનોની પ્રવૃત્તિ અને પ્રગતિ વિશે જણાવ્યું.
આ કાર્યક્રમમાં રોહિતભાઈ ત્રિવેદીનાં સંચાલન સાથે હેતલભાઈ પાઠક ( ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ) સહિત કિરણ વાઘેલા, મનદીપ પારખિયા સાથે વિવિધ કચેરીઓ અને સંસ્થાનાં અધિકારી વડાઓ દ્વારા પ્રાસંગિક માર્ગદર્શન સહયોગ રહેલ.
આયોજનમાં પ્રીતિબેન શ્રોફના માર્ગદર્શન સાથે નીતિનભાઈ દવે અને કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યાં હતાં.