સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે.
અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસંગે સિહોરમાં ભગવાનની રથયાત્રા માટે ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે.
સિહોરમાં ઠાકર દ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા થયેલ આયોજન મુજબ ધામધૂમથી રથયાત્રા યોજાશે. સમિતિ દ્વારા થયેલ આયોજન મુજબ રથયાત્રા શ્રી ઠાકર દ્વારા મંદિરથી સવારે ૮.૩૦ કલાકે પ્રસ્થાન થઈ ખારાકુવા ચોક, સુરકા ડેલો, વડલાવાળી ખોડિયાર થઈને બપોરે પાબુજી મંદિર વિશ્રામ લેશે. વિશ્રામ બાદ અહીંથી ખાડિયા ચોક, દાદાની વાવ, વડલાવાળી ખોડિયાર, સુભાષ ચોક થઈ મંદિર પહોંચશે.