કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે રેલવે, મેટ્રો અને હાઈ-ટેક ઉદ્યોગોને નવી દિશા આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મંજૂર થયેલ પ્રોજેક્ટ્સની વિગત આપી હતી, જેમાં પુણે મેટ્રો, રેર અર્થ મેગ્નેટ યોજના, મુંબઈ નજીક બદલાપુર-કર્જત લાઈન અને ગુજરાતની દેવભૂમિ દ્વારકા સુધીની ઓખા-કનાલુસ રેલવે લાઇનના ડબલિંગ જેવા નિર્ણયો સામેલ છે.
Pune Metro Rail Project | The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, today approved Line 4 (Kharadi–Hadapsar–Swargate–Khadakwasla) and Line 4A (Nal Stop–Warje–Manik Baug) under Phase 2 of the Pune Metro Rail Project. This is the second major project approved… pic.twitter.com/bCs61jLfXk
— ANI (@ANI) November 26, 2025
સૌથી મોટો ફાળો પુણે મેટ્રોને મળ્યો છે. પુણે મેટ્રો ફેઝ-1ના વિસ્તરણ માટે ₹9,858 કરોડનું વિશાળ બજેટ મંજુર થયું છે. આ પ્રોજેક્ટ હેઠળ 32 કિલોમીટરની નવી મેટ્રો લાઈન બનાવવામાં આવશે, જે ખરાડીથી ખડકવાસલા અને નાલ સ્ટોપથી માણિક બાગ સુધી જશે. આ વિસ્તરણ સાથે પુણેની મેટ્રો નેટવર્ક 100 કિલોમીટરથી વધુ વિસ્તૃત થઈ જશે. સતત ટ્રાફિક સમસ્યાઓથી પીડાતા પુણેવાસીઓ માટે આ પ્રોજેક્ટ મોટી રાહત લાવશે અને શહેરના પરિવહન વ્યવસ્થાને નવી ગતિ મળશે.
મેક-ઇન-ઈન્ડિયાને બળ આપવા અને ચીનની નિર્ભરતાને ઘટાડવા માટે સરકારએ ₹7,280 કરોડની રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) યોજનાને મંજૂરી આપી છે. ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન અને હાઈ-ટેક ઉપકરણોમાં વપરાતી આ મેગ્નેટ માટે ભારત અત્યાર સુધી અન્ય દેશો પર નિર્ભર રહ્યું છે. આ યોજના ભારતને હાઈ-ટેક મેગ્નેટ ઉત્પાદનના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે અને ભવિષ્યની ટેકનોલોજી ક્ષેત્રે દેશની સ્થિતિ મજબૂત કરશે.
बड़ी खबर: मोदी कैबिनेट का मेगा फैसला!
रेयर अर्थ मैग्नेट्स के घरेलू उत्पादन को बढ़ावा देने के लिए ₹7,280 करोड़ की महत्वाकांक्षी योजना को मंजूरी। आत्मनिर्भर भारत की दिशा में बड़ा कदम!#RareEarthMagnets #ModiCabinet #AatmanirbharBharat #MakeInIndia #CriticalMinerals
[ Rare… pic.twitter.com/IZWISgDxsa
— One India News (@oneindianewscom) November 26, 2025
ગુજરાત માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાની યાત્રા સુવિધાજનક બનાવવા માટે ઓખાથી કનાલુસ વચ્ચેની 159 કિમી લાંબી રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી મળી છે. ₹1,457 કરોડના આ પ્રોજેક્ટથી યાત્રાળુઓ ઉપરાંત સ્થાનિક લોકો અને વેપારીઓને પણ મોટો લાભ મળશે. વધતી ટ્રેન સંખ્યાને ટેકો મળશે, મુસાફરીનો સમય ઘટશે અને માલગાડીઓની અવરજવર વધારે ઝડપી થઈ શકશે.
મહારાષ્ટ્રના મુસાફરો માટે બદલાપુર-કર્જત વચ્ચેની નવી લાઇન પણ મહત્વની છે. હાલમાં બે લાઇન પર વધી રહેલા ટ્રાફિકને ધ્યાને રાખીને કેબિનેટે અહીં ત્રીજી અને ચોથી લાઇન બનાવવા માટે ₹1,324 કરોડનું બજેટ મંજુર કર્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં લોકલ ટ્રેનો અને માલગાડીઓ માટે અલગ લાઇન ઉપલબ્ધ થશે, જેથી ટ્રાફિકભીડ ઘટશે અને ટ્રેનો મોડી થવાના બનાવોમાં સુધારો થશે.
એક જ દિવસે લેવામાં આવેલા આ ચાર મોટા નિર્ણયો ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ઇરાદાને સ્પષ્ટ કરે છે. રેલવે, મેટ્રો અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગના સંકલિત વિકાસ સાથે દેશની કનેક્ટિવિટી, ટેકનોલોજીકલ ક્ષમતા અને પરિવહન સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી છે કે તમામ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel