ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એવી માન્યતા પ્રચલિત હતી કે જે પણ મુખ્યમંત્રી નોઈડા જાય છે, તેની ખુરશી જતી રહે છે.
મુખ્યમંત્રીએ આ અંધશ્રદ્ધાને નકારી કાઢતા કહ્યું કે, “જો ખુરશી એક દિવસ જવાની જ હોય તો તેના મોહમાં કેમ પડવું?” તેમણે ઉમેર્યું કે આ પ્રકારની માન્યતાઓના કારણે અગાઉના ઘણા મુખ્યમંત્રીઓ પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન નોઇડા જવાનું ટાળતા હતા. પરંતુ તેમણે આ માન્યતાને તોડી નોઇડાની મુલાકાત લીધી અને સફળતાપૂર્વક પોતાનો પહેલો કાર્યકાળ પૂર્ણ કરીને ફરીથી સત્તામાં આવ્યા.
मैं आस्था में विश्वास करता हूं, सबकी आस्था का भी सम्मान करता हूं, लेकिन अंधविश्वास को कतई नहीं मानता… pic.twitter.com/IA47QRsDfb
— Yogi Adityanath (@myogiadityanath) March 29, 2026
યોગી આદિત્યનાથે પોતાના શાસનકાળ દરમિયાન નોઇડામાં રહેલી મોટી સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે બિલ્ડરો અને ઘર ખરીદદારો વચ્ચે લગભગ 4 લાખ કેસો વર્ષોથી અટવાયેલા હતા. અનેક લોકોએ પોતાની જીવનભરની કમાણી રોકાણ કર્યા બાદ પણ ઘર મળ્યા નહોતા. સાથે જ ગ્રેટર નોઈડા અને નોઇડા ઓથોરિટી પણ ભારે દેવામાં ડૂબેલી હતી.
આ સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકારે કડક અને સુવ્યવસ્થિત વ્યૂહનીતિ અપનાવી. વહીવટીતંત્રમાં સુધારા કરીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી અને બિલ્ડરોને સમયસર ઘરો આપવાની સૂચના આપવામાં આવી. આ પ્રયત્નોના પરિણામે આજે લગભગ 4 લાખ લોકોને તેમના ઘરો મળ્યા છે.
મુખ્યમંત્રીએ ગર્વ સાથે જણાવ્યું કે જે ઓથોરિટી પહેલાં દેવામાં ડૂબેલી હતી, તે આજે ₹6,000 કરોડના નફામાં આવી ગઈ છે. સાથે જ નોઇડામાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા પ્રમાણમાં રોકાણ આકર્ષાયું છે, જે રાજ્યના વિકાસને નવી દિશા આપી રહ્યું છે.
આ પ્રસંગે તેમણે અખિલેશ યાદવ પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો અગાઉ અંધશ્રદ્ધાને કારણે નોઇડા આવવાનું ટાળતા હતા, તેઓ આજે વિકાસની વાતો કરી રહ્યા છે. યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે તેઓ આસ્થામાં વિશ્વાસ રાખે છે, પરંતુ અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી આપતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel