રમજાન મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ગંભીર બન્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રશાસનનો આરોપ છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકા સહિતના વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે.
આ હુમલાઓને લઈને તાલિબાન સરકારે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યાનો દાવો
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ અનુસાર આ હુમલાઓમાં સામાન્ય નાગરિકોના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો અસરગ્રસ્ત થયા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર હાલ સુધીમાં ઓછામાં ઓછા 3 લોકોનાં મોત અને 15 લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. જોકે નુકસાનનું પૂરું પ્રમાણ હજી સામે આવવાનું બાકી છે.
رژیم نظامی پاکستان ذخیرهٔ تیل شرکت خصوصی هوایی کامایر را در نزدیکی میدان هوایی کندهار هدف قرار داد.
این شرکت برای شرکتهای هوایی ملکی و همچنین برای طیارههای سازمان ملل متحد مواد سوخت فراهم میکند.
پیش از این نیز ذخیرهٔ تیل یک تاجر ملی به نام حاجی خانزاده هدف قرار گرفته بود. pic.twitter.com/svkXkZIeCr
— Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) March 13, 2026
કંધાર એરપોર્ટ નજીક ફ્યુઅલ ડેપો પર બોમ્બમારો
અહેવાલો મુજબ પાકિસ્તાની વિમાનો દ્વારા કંધાર આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક આવેલા ‘કામ એર’ના ફ્યુઅલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યું.
આ ફ્યુઅલ ડેપો માત્ર નાગરિક વિમાનો માટે જ નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના વિમાનોને પણ ઈંધણ પૂરું પાડતો મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. આ હુમલાથી સ્થાનિક વિમાન વ્યવહાર અને લોજિસ્ટિક્સ પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાલિબાન દ્વારા ‘ક્રૂર આક્રમણ’નો આક્ષેપ
તાલિબાન પ્રશાસને પાકિસ્તાનની આ સૈન્ય કાર્યવાહીને ‘ક્રૂર આક્રમણ’ ગણાવીને તેની કડક નિંદા કરી છે.
પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે રમજાનના અંતિમ દિવસો અને ઈદના તહેવારના સમયમાં રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરવો માનવતા વિરુદ્ધ કૃત્ય છે.
હુમલાઓને કારણે ઘણા પરિવારો બેઘર થઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે.
પાકિસ્તાનને અફઘાનિસ્તાનની ચેતવણી
અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાનને આ હુમલાઓના ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનાને અવગણવામાં નહીં આવે અને પાકિસ્તાનને તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
તાલિબાન પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાન પોતાની સરહદ અને સાર્વભૌમત્વ સામેની કોઈ પણ દાદાગીરી સહન નહીં કરે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ સતત વધી રહ્યો છે. અગાઉ પણ સરહદી વિસ્તારોમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી.
તાલિબાનના દાવા મુજબ અગાઉની જવાબી કાર્યવાહીમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને અફઘાન સેનાએ પાકિસ્તાનની 19 સૈન્ય ચોકીઓ પર કબજો કર્યો હતો. જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ હજી થઈ નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel