આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર “સંવિધાન હત્યા દિવસ” તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કટોકટીના 50 વર્ષ પૂરાં થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કટોકટીને “ભારતના બંધારણ અને લોકશાહીના ઢાંચા ઉપર સીધી ઘાત” ગણાવી હતી. આ દિવસે દેશમાં ઇન્દિરા ગાંધીની નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે તાત્કાલિક રીતે કટોકટીની જાહેરાત કરી હતી, જેના અંતર્ગત તમામ મૌલિક અધિકારો સ્થગિત કરાઈ ગયા હતા, સેન્સરશિપ લગાડાઈ હતી અને હજારો વિરોધી નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થી અને સામાન્ય નાગરિકોને વિનાવજહ જેલમાં ઠાંસી દેવાયા હતા.
વડાપ્રધાને આજે X (પૂર્વેના ટ્વિટર) પર એક પોસ્ટ કરીને કોંગ્રેસ પર કડક પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, “આજે 50 વર્ષ થઈ ગયા છે તે દિવસને, જ્યારે ભારતમાં લોકશાહીનું ગલુઘોંટાયું હતું. આપણે આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઓળખીએ છીએ. ભારતના બંધારણના મૂલ્યોની તત્કાલ અવગણના કરવામાં આવી હતી, મૌલિક અધિકારો અને પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી.” મોદીએ કહ્યું કે ત્યારે શાસનમાં રહેલી કોંગ્રેસ સરકારે દેશને લોકશાહિથી દુર રાખી દીધો હતો.
When the Emergency was imposed, I was a young RSS Pracharak. The anti-Emergency movement was a learning experience for me. It reaffirmed the vitality of preserving our democratic framework. At the same time, I got to learn so much from people across the political spectrum. I am… https://t.co/nLY4Vb30Pu
— Narendra Modi (@narendramodi) June 25, 2025
વડાપ્રધાને જણાવ્યું કે, “અમે કટોકટીનો સામનો કરનારા દરેક નાગરિક, નેતા અને કાર્યકરોને સલામ કરીએ છીએ, જેમણે ભારતના લોકશાહી માળખાની રક્ષા માટે પોતાનું બધું દાવ પર લગાવ્યું.” તેમણે વધુમાં જણાવ્યું કે દેશભરના વિવિધ વિસ્તારો અને વિચારધારાઓમાંથી લોકો એક થવાની ભાવના સાથે ઉભા રહ્યા હતા. તેમના આઝાદી માટેના આ સંઘર્ષના કારણે અંતે કોંગ્રેસને ચૂંટણી યોજવી પડી અને તેને કારમી હારનો સામનો કરવો પડ્યો, જેના દ્વારા લોકશાહી ફરી પુનઃસ્થાપિત થઈ.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એમ પણ ઉમેર્યું કે, “આ દિવસ આપણે એ રીતે યાદ કરીએ, જ્યાંથી આપણે પોતાને પુનઃપ્રતિબદ્ધ કરીએ — બંધારણના સિદ્ધાંતોના પાલન માટે, વિકાસશીલ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, અને ગરીબો તથા વંચિતોને આત્મનિર્ભર બનાવવા માટે.”
આજના દિવસે એક ખાસ પ્રસંગ તરીકે, ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન મોદીની આત્મકથા સમાન યાદગાર પુસ્તક ‘The Emergency Diaries – Years That Forged a Leader’ નું અનાવરણ પણ કરશે. આ પુસ્તકમાં મોદીએ કટોકટીના સમયગાળાના પોતાના અનુભવ અને સંઘર્ષોનું વર્ણન કર્યું છે, જેમણે તેમનું નેતૃત્વ ઘડ્યું હતું. પુસ્તક બ્લૂક્રાફ્ટ પબ્લિકેશન દ્વારા પ્રસિદ્ધ થયું છે અને તેમાં કટોકટીની અસરગ્રસ્ત ઘટનાઓ સાથે વિસતૃત દસ્તાવેજીકરણ પણ આપવામાં આવ્યું છે.
આ રીતે, “સંવિધાન હત્યા દિવસ” ભારતના ઇતિહાસમાં માત્ર એક રાજકીય પ્રસંગ નહીં પરંતુ લોકશાહી અને નાગરિક હક્કો માટેના સંઘર્ષની યાદગીરી બની રહે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel