બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને પીએમ મોદીના પત્ર સાથે શુભેચ્છાઓ પહોંચાડ્યા હતા. ઉપરાંત, ફોન દ્વારા પણ બંને નેતાઓ વચ્ચે શુભેચ્છા સંવાદ થયો હોવાનું જણાવાયું છે.
પીએમ મોદીએ પત્રમાં વ્યક્ત કર્યો વિશ્વાસ
પત્રમાં વડાપ્રધાન મોદીએ તારિક રહેમાનને ચૂંટણી જીત અને વડાપ્રધાન પદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે રહેમાનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશ શાંતિ, સ્થિરતા અને વિકાસના માર્ગે આગળ વધશે તેવી ભારતને આશા છે. મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધો સહિયારા ઈતિહાસ, સાંસ્કૃતિક જોડાણ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત હોવાનું જણાવીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ રહેમાન, તેમની પત્ની ડૉ. ઝુબૈદા અને પુત્રી ઝૈમાને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
Just concluded a constructive meeting with Prime Minister of Bangladesh @trahmanbnp
I handed over a personal letter from Prime Minister @narendramodi conveying his wishes to PM Rahman and inviting him to visit India at the earliest convenience.
I extended warm congratulations… pic.twitter.com/gFNqLmnxsT
— Om Birla (@ombirlakota) February 17, 2026
અગાઉ પણ મોકલાયો હતો સંવેદના સંદેશ
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રહેમાનની માતા અને બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અવસાન બાદ પણ પીએમ મોદીએ વિદેશ પ્રધાન એસ. જયશંકર મારફતે શોક સંદેશ મોકલ્યો હતો. મોદીએ ખાલિદા ઝિયાને એક મજબૂત અને દૃઢ નેતા તરીકે યાદ કરતાં ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકાને વખાણી હતી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને આમંત્રિત કર્યા હતા. જોકે, તે દિવસે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પૂર્વનિર્ધારિત બેઠકને કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. તેમના સ્થાને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમારોહમાં સામેલ થયા હતા.
ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સુધારાની શક્યતા
વચગાળાની સરકારના સમયગાળા દરમિયાન બંને દેશોના સંબંધોમાં થોડો તણાવ જોવા મળ્યો હતો, ખાસ કરીને લઘુમતીઓ પર હુમલાના અહેવાલોને લઈને. હવે BNPની જીત અને નવી સરકાર રચાયા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજનૈતિક અને આર્થિક સંબંધોમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત રહેમાન સરકાર પ્રત્યે સાવચેત પરંતુ હકારાત્મક વલણ અપનાવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom