રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘સમજદાર અને વિચારશીલ નેતા’ તરીકે પ્રશંસા કરી છે. વલદાઈ ચર્ચા મંચમાં આપેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મોદી ભારતના રાષ્ટ્રીય હિતોને મજબૂતીથી રક્ષા કરે છે અને ભારતીય જનતા ક્યારેય અપમાન સહન નહીં કરે. આ મંચ પર 140થી વધુ દેશોના વૈશ્વિક નિષ્ણાત હાજર રહ્યા હતા, જ્યાં પુતિના નિવેદનોની મહત્ત્વપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.
પુતિએ અમેરિકાના દબાણ પર કડક ટીકા કરતા જણાવ્યું કે, અમેરિકાનાં વહીવટીતંત્ર દ્વારા ભારત અને ચીન પર રશિયાઈ તેલની ખરીદી ઘટાડવા માટે ટેરિફ લાગાવવું ‘અપમાનજનક’ છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન જેવા સ્વતંત્ર દેશો કોઈ પક્ષપાત નથી કરતા અને તેઓ વૈશ્વિક ન્યાયી વ્યવસ્થાનું નિર્માણ કરવા માંગે છે. પુતિના મતે, જો ભારત રશિયાઈ ઊર્જાની ખરીદી બંધ કરે તો તેને 9થી 10 અબજ ડોલરનું નુકસાન થશે, જે વૈશ્વિક તેલના ભાવમાં વધારાનું કારણ બનશે અને અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ અસર પહોંચાડશે.
रूसी राष्ट्रपति पुतिन ने पीएम मोदी की प्रशंसा की:
"पीएम मोदी एक संतुलित और बुद्धिमान नेता हैं, जो राष्ट्रीय हित पर केंद्रित हैं।" #Putin #Modi #IndiaRussia #Leadership #Diplomacy
[ Putin, Modi, India, Leadership, National Interest ] pic.twitter.com/mHeIZIWg2L
— One India News (@oneindianewscom) October 3, 2025
ભારત-રશિયા વેપાર પર પણ પુતિએ ભાર મુક્યો. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ‘ખાસ અને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ છે, જે ટૂંક સમયમાં તેની 15મી વર્ષગાંઠ ઉજવશે. તેઓએ એ પણ સ્વીકાર્યું કે વેપારમાં અસંતુલન છે અને તેને સુધારવા માટે રશિયા ભારતીય કૃષિ ઉત્પાદનો, દવાઓ અને ઔષધોની વધુ ખરીદી કરી શકે છે. પુતિએ કહ્યું, “અમે ભારતીય કૃષિ ઉત્પાદનોની વધુ ખરીદી કરવા તૈયાર છીએ. દવાઓ અને આરોગ્યસંભંધિત ઉત્પાદનો માટે પણ પગલાં લઈ શકીએ છીએ.” આ સાથે, તેઓએ જણાવ્યું કે, અમેરિકાન લગાવેલા ટેરિફથી થતું ભારતનું નુકસાન રશિયાઈ કુદરતી તેલની વધુ ખરીદીથી પૂરો થઇ શકે છે, જે ભારતની વૈશ્વિક સ્તરે સ્વતંત્ર અને મજબૂત છબી પ્રગટ કરશે.
પુતિએ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, બંને દેશો વચ્ચે ક્યારેય કોઈ મહત્વપૂર્ણ મુદ્દે મતભેદ ન રહ્યો છે. તેઓએ આ મુલાકાત દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનોલોજી ક્ષેત્રોમાં ભારત સાથે ભાગીદારી વધારવા ઇચ્છા વ્યક્ત કરી. તેમના નિવેદનો સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત-રશિયા સંબંધો સ્થિર, મજબૂત અને વ્યૂહાત્મક છે, જ્યારે વૈશ્વિક વેપાર, ઊર્જા સલામતી અને સ્વતંત્ર નીતિ મુદ્દાઓ પર ભારતને પુષ્ટિ આપે છે.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે દર્શાવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ સ્તરે પણ રાજકીય અને આર્થિક સમર્થન ઉપલબ્ધ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel