ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) અંગે રાજ્યોને સખત સંદેશ આપતા કહ્યું છે કે આ પ્રકારની યોજનાઓનો આર્થિક ભાર આખરે કરદાતાઓ પર જ પડે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન CJIએ સવાલ ઉઠાવ્યો કે, “આખરે કરદાતા સિવાય મફત યોજનાઓનો ખર્ચ કોણ ઉઠાવશે?” કોર્ટે નોંધ્યું કે પહેલાં ભોજન, સાઇકલ અથવા વીજળી જેવી પાયાની જરૂરિયાતો માટે સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે ઘણા રાજ્યો સીધી રોકડ ટ્રાન્સફર (Direct Cash Transfer) યોજનાઓ શરૂ કરી રહ્યા છે, જે લાંબા ગાળે આર્થિક રીતે ચિંતાજનક બની શકે છે.
સુપ્રીમ કોર્ટએ ‘રેવડી સંસ્કૃતિ’ (Freebie Culture) પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે દેવામાં ડૂબેલા ઘણા રાજ્યો વિકાસકાર્ય કરતાં મફતની યોજનાઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યોે મફત સુવિધાઓ વહેંચવાને બદલે રોજગાર સર્જન અને ઉત્પાદનક્ષમ રોકાણ પર ભાર મૂકવો જોઈએ. ન્યાયાલયે નાણાકીય સમજદારી (Fiscal Prudence) પર ભાર મૂકતા જણાવ્યું કે દેશના લાંબા ગાળાના વિકાસ માટે આર્થિક સંતુલન જાળવવું અનિવાર્ય છે. CJIએ જણાવ્યું કે કર્મચારીઓના પગાર અને મફત યોજનાઓના વધતા ખર્ચને કારણે જરૂરી વિકાસ પ્રોજેક્ટ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો કે સરકારો પોતાની આવકનો ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો વિકાસ કાર્યો માટે કેમ ખર્ચી શકતી નથી. કોર્ટે આ મુદ્દે ઉલ્લેખ કર્યો કે હવે મફત ભોજન, મફત સાઇકલ અને મફત વીજળી જેવી યોજનાઓ ઉપરાંત સીધી રોકડ સહાય પણ આપવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યના નાણાકીય ભારમાં વધારો થાય છે.
આ કેસ તમિલનાડુ વિદ્યુત વિતરણ નિગમ વિરુદ્ધ ભારત સરકારના મામલે ચાલી રહેલી સુનાવણી સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે નિગમને ગ્રાહકોની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કર્યા વગર સૌને મફત વીજળી આપવાનો વાયદો કરવા બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે જણાવ્યું કે આ પ્રકારની ‘મફતની રેવડી’ સિસ્ટમ આર્થિક વિકાસ માટે અવરોધ બની શકે છે અને લાંબા ગાળે દેશના વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel