સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે.
સર્વત્ર વધી રહેલાં પ્રદૂષણ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અને જાગૃતિ માટે થયેલાં અનુરોધમાં ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ચોકસાઈ સાથે અભિયાનમાં આગળ રહ્યાં છે અને પોતે જ સ્વચ્છતા કાર્યમાં જોડાઈ રહ્યાં છે.
સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ભાવનગર ક્ષેત્રમાં પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે. આ અભિયાન સાથે તેઓએ માત્ર કિનારાની જ સફાઈ કે સ્વચ્છતા પૂરતી નથી પરંતુ સમુદ્રી જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે પણ જાગૃત રહેવા સંદેશો આપ્યો છે અને સમુદ્રના સ્વચ્છ કિનારા એ વિકસિત તથા સ્વસ્થ ભારતની ઓળખ રહ્યાંનો ભાવ જણાવ્યો છે. આ સ્વચ્છતા કાર્યમાં આ વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયાં અને સ્વચ્છતા માટે સંકલ્પ બદ્ધ થયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel