ઉત્તરાખંડમાં હાલ મૌસમ ખુબજ ખરાબ છે અને સતત ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલ્મોરા, બાગેશ્વર, ચમોલી, દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, પૌરી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, ટિહરી અને ઉત્તરકાશી સહિતના ઘણા જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. સતત વરસાદને પગલે ભૂસ્ખલન ઘટનાઓ વધી રહી છે અને અનેક રસ્તાઓ, ખાસ કરીને પર્વતીય માર્ગો, અવરોધિત થયા છે. તેમાં ગૌરીકુંડ જતા મહત્વના માર્ગને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે કેદારનાથ યાત્રા પર અસર જોવા મળી રહી છે.
Uttarakhand: भारी बारिश से यमुनोत्री NH के पास भूस्खलन…पैदल मार्ग बंद, जानिए मौसम का हाल @news24tvchannel #Uttarakhand #HeavyRains #landslide pic.twitter.com/MXjDm4uKPr
— Deepti Sharma (@DeeptiShar24006) July 28, 2025
રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે લાહૌલ સ્પીતીના લારી નાલામાં ભીષણ પૂરના કારણે પીવાના પાણીની પાઈપલાઈનો પણ તૂટી ગઈ છે. આસપાસના ગામડાંના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે પણ ગંભીર ચેતવણી આપી છે.
રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રએ તરત જ કાર્ય પર પ્રવૃત્ત થતા જરૂરી સૂચનાઓ આપી છે. દેહરાદૂન, નૈનિતાલ, બાગેશ્વર, પૌરી અને ટિહરીમાં ભીષણ વરસાદની આગાહી વચ્ચે NH, PWD, PMGSY, ADB, BRO, WB, CPWD જેવા તંત્રોને તાત્કાલિક મશીનરી સાથે તૈનાત રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેથી માર્ગ અવરોધનો તરત નિકાલ કરી ટ્રાફિક ચાલુ રાખી શકાય. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 24×7 સતર્ક રહેવા અને તેમની મોબાઈલ સેવા ચાલુ રાખવા સૂચના અપાઈ છે.
જિલ્લા આપત્તિ નિયંત્રણ કેન્દ્ર, ઉત્તરકાશી દ્વારા હેલ્પલાઇન નમ્બરો જાહેર કરવામાં આવ્યા છે, જેથી જરૂરત પડ્યે તરત સંપર્ક કરી શકાય. આ નમ્બરો છે – 01374-222722, 1077, 7500337269 અને 9456556431. કુલ મળીને, રાજ્યના તમામ વિભાગો હાલ ચુસ્ત કાર્યવાહી માટે તૈનાત છે અને સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.