click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી : ‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી : ‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું’
Gujarat

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી : ‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું’

દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી ચાલી રહી છે.

Last updated: 2026/01/23 at 6:43 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસર પર શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહોત્સવને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશ માટે આ એક ગૌરવપૂર્ણ અને પવિત્ર ક્ષણ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દ્વિશતાબ્દી ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય મળ્યું હોવાનું જણાવતાં તેમણે તમામ સંતો, હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો અનુયાયીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાને પોતાના ભાષણમાં ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત હજારો વર્ષોથી જ્ઞાનયોગને સમર્પિત રહ્યું છે અને વેદ, ઉપનિષદ, પુરાણ, શ્રુતિ-સ્મૃતિ જેવી પરંપરાઓ આજે પણ માનવજાત માટે પ્રેરણારૂપ છે. સમયાંતરે ઋષિ-મુનિઓ અને મહાત્માઓએ આ જ્ઞાન પરંપરાને સમયની જરૂરિયાત મુજબ વિકસાવી અને સમાજ સુધી પહોંચાડી છે. આ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણનું યોગદાન અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે પોતાના જીવનના અનુભવોથી સમાજને સરળ અને વ્યવહારુ શિક્ષણ આપ્યું અને શિક્ષાપત્રીના માધ્યમથી જીવનને સત્ય, સંયમ, સેવા અને નૈતિકતાના માર્ગે ચલાવવાનું અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

भगवान स्वामीनारायण का जीवन साधना के साथ-साथ सेवा की भी प्रतिमूर्ति था।

आज उनके अनुयायियों द्वारा समाज, राष्ट्र और मानवता की सेवा के कितने ही अभियान चल रहे हैं।

शिक्षा और स्वास्थ से जुड़े प्रकल्प, किसान कल्याण के संकल्प, जल से जुड़े अभियान वास्तव में सराहनीय है।

आप सभी संतजनों… pic.twitter.com/OIoAhiYhZi

— BJP (@BJP4India) January 23, 2026

દ્વિશતાબ્દી ઉજવણીને આત્મમંથનનો અવસર ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ પ્રસંગ આપણને વિચારવાની તક આપે છે કે શિક્ષાપત્રીમાંથી આપણે શું શીખી રહ્યા છીએ અને તેના આદર્શોને આપણા જીવનમાં કેટલા પ્રમાણમાં ઉતારી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના સાથે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે તેમના અનુયાયીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, ખેડૂત કલ્યાણ, પાણી સંરક્ષણ અને માનવતાની સેવા જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવતું કાર્ય પ્રશંસનીય છે અને સમગ્ર સમાજને પ્રેરણા આપે છે.

વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશ આજે જન આંદોલનોના માધ્યમથી સ્વચ્છતા, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક પ્રયાસોને પ્રોત્સાહન આપી રહ્યો છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય જેવા પ્રબુદ્ધ સંગઠનો આ અભિયાનોમાં સક્રિય ભાગ લેશે તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દીની ઉજવણી વધુ અર્થસભર અને યાદગાર બનશે. સાથે જ તેમણે ‘જ્ઞાન ભારતમ મિશન’નો ઉલ્લેખ કરીને પ્રાચીન હસ્તપ્રતો અને ભારતના વૈભવી જ્ઞાન વારસાને સાચવવા માટે તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને યોગદાન આપવા અપીલ કરી હતી.

સંબોધનના અંતમાં વડાપ્રધાને સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના પ્રથમ વિનાશ પછીના હજાર વર્ષની યાત્રાને ઉજવતો આ સાંસ્કૃતિક ઉત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોને આ પર્વ સાથે જોડાવા અને તેના ઉદ્દેશ્યો જન-જન સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ભારતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહેશે તેવી આશા વ્યક્ત કરતા પીએમ મોદીએ તમામ સંતો, હરિભક્તો અને અનુયાયીઓને ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhagwan Swaminarayan, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindia news, oneindianews, oneindianewsgujarat, pm modi, PM મોદી, Politics, Shikshapatri Bicentenary Festival, topnews, topnewschannelinindia, અમૂલ્ય માર્ગદર્શન, ઋષિ-મુનિઓ, જ્ઞાન ભારતમ મિશન, દ્વિશતાબ્દી મહોત્સવ, ભગવાન સ્વામિનારાયણ, મહાત્માઓ, શિક્ષાપત્રી, સોમનાથ સ્વાભિમાન પર્વ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચેન્નાઈમાં PM મોદીનો DMK પર પ્રહાર: ‘તમિલનાડુમાં CMC સરકાર નહીં ચાલે, જનતા ઈચ્છે છે પરિવર્તન’
Next Article વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગિફ્ટ સિટીની છાપ, વિઝા અને નાસ્ડેક સહિત દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?