સુપ્રીમ કોર્ટએ ગુરુવારે UAPA હેઠળ નોંધાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહને જામીન આપ્યા છે. શબ્બીર અહમદ શાહ પર આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો તેમજ કાશ્મીરમાં હિંસા ભડકાવવાનો આરોપ છે. જૂન 2019માં UAPA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ સતત જેલમાં બંધ હતા. આ મામલે સુનાવણી કરતી બેન્ચમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતા સામેલ હતા, જેમણે તમામ દલીલો સાંભળ્યા બાદ શબ્બીર અહમદ શાહને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય કાશ્મીર સંબંધિત આતંકવાદી ફંડિંગ કેસોમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
શબ્બીર અહમદ શાહ જમ્મુ-કાશ્મીર આધારિત અલગાવવાદી સંગઠન જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટીના પ્રમુખ છે. તપાસ એજન્સીઓએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે કાશ્મીરમાં હિંસક પ્રદર્શન આયોજિત કરાવ્યા, સુરક્ષા દળો પર પથ્થરમારો કરાવવાનો પ્રયાસ કર્યો અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એજન્સીઓના જણાવ્યા મુજબ કેટલાક અલગાવવાદી નેતાઓએ મળીને કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ એકત્રિત કરવાની સુવ્યવસ્થિત ચેનલ ઉભી કરી હતી. આ કેસમાં શબ્બીર અહમદ શાહના સંબંધો અલગાવવાદી નેતા યાસીન મલિક સાથે હોવાના આરોપો પણ સામે આવ્યા હતા. હાલમાં યાસીન મલિક અનેક ગંભીર કેસોમાં દોષિત ઠરાવી જેલની સજા ભોગવી રહ્યો છે.
આ કેસ નોંધાયા બાદ શબ્બીર અહમદ શાહે જામીન મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દિલ્હી હાઈકોર્ટે આરોપોની ગંભીરતા ધ્યાનમાં રાખીને તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે કેસમાં લગાવવામાં આવેલા આરોપો પ્રથમ દૃષ્ટિએ ગંભીર અને વિશ્વસનીય જણાય છે અને UAPA હેઠળ જામીન આપવાના યોગ્ય કારણો આરોપી સાબિત કરી શક્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ તેનો ઉપયોગ દેશની અખંડિતતા અને રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકતો નથી. હાઈકોર્ટમાંથી રાહત ન મળતા શબ્બીર અહમદ શાહે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં લાંબી સુનાવણી બાદ હવે તેમને જામીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel