કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંજોગોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર મત મેળવવા અને રાજકીય ફાયદા માટે એવી રાજનીતિ કરી રહી છે, જેનાથી ખાડી દેશો ભારત પ્રત્યે વિરોધી વલણ અપનાવી શકે છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના નિવેદનો અને નીતિઓના કારણે ગલ્ફ દેશોમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
Keralam stands with the BJP-NDA. It rejects the LDF and UDF’s empty promises. Addressing a huge public meeting in Thiruvalla. https://t.co/DK5Z9rSfSw
— Narendra Modi (@narendramodi) April 4, 2026
કોંગ્રેસની ઈચ્છા છે કે, ખાડી દેશ ભારતને પોતાનો દુશ્મન માને : PM મોદી
તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસની ઈચ્છા ખૂબ જ ખતરનાક છે. તેઓ ઈચ્છે છે કે, પશ્ચિમ એશિયાના દેશો ભારતને દુશ્મન માની લે. તેઓનું ષડયંત્ર છે કે, અમે અહીં એવી ભૂલ કરીએ, એવું નિવેદન આપીએ, જેનાથી ખાડી દેશોમાં રહેતા આપણા ભાઈ-બહેનો પર મોટી મુસીબત આવી જાય. કોંગ્રેસ જાણીજોઈને ખાડી દેશોને નારાજ કરતા નિવેદનો આપી રહી છે. તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે દેશમાં ડરનો માહોલ ઉભો કરવા માંગે છે.’
Thiruvalla, Keralam: PM Narendra Modi says, "To criticize Modi, Congress is ready to put the lives of one crore expatriates at risk. In Iran, many of our fishermen from Kerala, Tamil Nadu, Goa, Andhra Pradesh, Telangana, and Puducherry are in danger, and we are working to bring… pic.twitter.com/TRn0ulhaP3
— IANS (@ians_india) April 4, 2026
PM મોદીનો વિરોધીઓને કડક મેસેજ
તેમણે વિરોધીઓને કડક મેસેજ આપતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ, એલડીએફ, યુડીએફને સ્પષ્ટ કહું છું કે, રાજનીતી પોતાની જગ્યા છે અને ચૂંટણીઓ આવતી-જતી રહેશે. કેરલમના જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે, તેમની સુરક્ષા મારા માટે મોટી પ્રાથમિકતા છે અને આ માટે હું સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.’
આ સાથે વડાપ્રધાને સબરીમાલા ધામ મુદ્દે પણ કોંગ્રેસ અને લેફ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે બંને પક્ષોએ કેરળની આસ્થા અને સંસ્કૃતિ સાથે રમતા સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
મોદીએ આરોપ લગાવ્યો કે LDF સરકાર દરમિયાન સબરીમાલામાં થયેલી ચોરી અને ગેરરીતિઓના મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને આ મામલે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જોડાણ હોવાના આરોપો પણ સામે આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે આ કારણસર કેસને Central Bureau of Investigation (CBI)ને સોંપવામાં આવતો નથી.
પ્રધાનમંત્રીના આ નિવેદનો બાદ કેરળની ચૂંટણી રાજનીતિમાં ગરમાવો વધુ વધી ગયો છે અને આગામી દિવસોમાં રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel