ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સંમેલન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રંગ શહેરમાં ભવ્ય રોડ-શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર ઉત્સાહ અને ઉજવણીના માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
આદિવાસી ગૌરવ સંમેલન 📍 નેત્રંગ, ભરૂચ #AdiwasiUtkarsh https://t.co/u4gqRhf4Lb
— Harsh Sanghavi (@sanghaviharsh) March 13, 2026
આદિવાસી સમાજના શૌર્યનો ઉલ્લેખ
સંમેલનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સમાજના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ભરૂચ પ્રાચીન સમયમાં ‘ભ્રુગુકચ્છ’ તરીકે ઓળખાતું હતું અને તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ મોટું રહ્યું છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે આદિવાસી સમાજે દેશ અને ધર્મના રક્ષણ માટે હંમેશા બહાદુરી બતાવી છે. તેમણે ખાસ કરીને સોમનાથ મંદિરના રક્ષણ માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર વીર વેગડા ભીલની શહાદતને યાદ કરી, જેને સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી.
‘મોદી ચાલે’ના નારા સાથે સંકલ્પ
સંમેલનમાં ઉપસ્થિત મોટી જનમેદનીને જોઈને હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે દેશના ચારે ખૂણે એક જ નારો ગુંજી રહ્યો છે – ‘મોદી ચાલે’.
તેમણે કહ્યું કે વિકાસ અને રાષ્ટ્રના હિત માટે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ.
નેત્રંગમાં ઉત્સાહભર્યો માહોલ
આદિવાસી ગૌરવ સંમેલન દરમિયાન નેત્રંગમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સમગ્ર વિસ્તાર કેસરીમય બની ગયો હતો.
કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ પણ આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
રાજકીય વિશ્લેષકોના મતે, આ કાર્યક્રમ દ્વારા ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં આદિવાસી સમાજ સાથે જોડાણ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel