ગુજરાતમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ 5676 દિવ્યાંગ લાભાર્થીઓને ₹36.7 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ તેમજ મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર યોજના
દિવ્યાંગજનોને દૈનિક જીવનમાં વધુ સુગમતા મળે અને તેઓ સરળતાથી અવરજવર કરી શકે તે હેતુથી રાજ્ય સરકારે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.
આ યોજના અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓમાંથી 4000 દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 1676 લાભાર્થીઓને જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવી છે.
રાજ્યના દિવ્યાંગ ભાઈ-બહેનોના ચહેરા પર ખુશી આવે એનાથી મોટી ખુશી સરકાર માટે બીજી શું હોય..
આજે ગાંધીનગર ખાતેથી દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું.
દિવ્યાંગજનોની રોજિંદી મુસાફરી અને કાર્યસ્થળે જવા-આવવાની તકલીફોને સમજીને રાજ્ય… pic.twitter.com/TtOX43YiVr
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 13, 2026
આ સાધનો મળવાથી દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ અથવા વ્હીલચેર હાથથી ચલાવવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. તેના કારણે તેઓ રોજિંદા કામકાજ, શિક્ષણ અને રોજગાર માટે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકશે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના જીવનમાં આ સહાયક સાધનો થકી આવનારા બદલાવ વિશે ચર્ચા કરી હતી.
જોયસ્ટિક વ્હીલચેર માટે સહાયમાં વધારો
દિવ્યાંગજનોને વધુ સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોયસ્ટિક વ્હીલચેર માટેની સહાયની રકમ વધારવાનો નિર્ણય લીધો છે.
સાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને હવે ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર માટે ₹1.10 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેથી લાભાર્થીઓ મુસાફરી દરમિયાન પણ તેને સરળતાથી સાથે રાખી શકે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે સહાય મેળવવાની પાત્રતા વય મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી વધુ બાળકોને વહેલી વયે સહાયક સાધનો મળીને તેમની જીવનશૈલી સરળ બનશે.
ALIMCO દ્વારા બનાવાયેલા સહાયક સાધનો
દિવ્યાંગજનોને આપવામાં આવેલા મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મારફતે ‘સેચ્યુરેશન એપ્રોચ’ અપનાવીને કોઈપણ જરૂરતમંદ દિવ્યાંગ લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
આ સાધન સહાય વિતરણ કાર્યક્રમ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ ડૉ. હર્ષદ પટેલ, સમાજ સુરક્ષા નિયામક વિક્રમ જાદવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને દિવ્યાંગ લાભાર્થીઓના પરિવારજનો હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારનો હેતુ દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવી તેમના જીવનમાં સુગમતા અને ગૌરવપૂર્ણ જીવનની તક આપવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel