રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મોદી શાસનના 11 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને સુશાસનની વાત કરવામાં આવી હતી.
26 મે 2014 ના રોજ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જે તારીખ 26 મે 2025 ના રોજ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે.
વધુમાં એમણે જણાવ્યું હતું કે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ માટે મોદી સરકારે કરેલ કાર્યો અકલ્પનીય છે, સૌનો સાથ અને સૌનો વિકાસ ના મંત્રને ચરિતાર્થ કરી બતાવ્યો છે.
કેન્દ્રમાં મોદી સરકારના શાસન દરમિયાન ભારત દેશ પર થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં સર્જીકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીએ ભારતની લશ્કરી તાકાત નો વિશ્વભરમાં પરચો બતાવ્યો છે.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.