અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઈસનપુર તળાવમાં બીજા સૌથી મોટા મેગા ડિમોલિશન ઓપરેશનની શરૂઆત થઈ છે. સોમવાર, 24 નવેમ્બરથી શરૂ થયેલી આ કાર્યવાહી હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી તળાવની આસપાસ બનેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। દબાણો પર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
ઈસનપુર વિસ્તારમાં અંદાજે 1000થી વધુ ગેરકાયદેસર દબાણો છે, જેમાં ઘણા લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા. AMC દ્વારા આ કામગીરી માટે 500થી વધુ કર્મચારીઓ અને મજૂરોને જોડવામાં આવ્યા છે અને લગભગ 20 જેટલા JCB મશીનો તથા અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી એટલી ઝડપી ગતિએ ચાલી રહી છે કે ઘણા રહેવાસીઓ પોતાનો સંપૂર્ણ સામાન કાઢી શક્યા નથી અને જે જેટલું લઈ શકે, એટલું લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રહેવાસીઓએ તો પોતાના ઘરનો સામાન નજીકના સ્મશાન વિસ્તારમાં રાખવાનો પડ્યો છે.
गुजरात भाजपा सरकार एक्शन मोड में
अहमदाबाद: इसानपुर में लगभग 40 साल से खड़ी अवैध अतिक्रमण हटाने के लिए बड़ी तोड़फोड़ कार्रवाई शुरू #GujaratBJP #DemolitionDrive #Isanpur #IllegalEncroachment #GujaratModel
[ Demolition, Isanpur, Encroachment, Gujarat, Action ] pic.twitter.com/hjmEVHtcsa
— One India News (@oneindianewscom) November 24, 2025
આ ડિમોલિશન પાછળનો મુખ્ય હેતુ AMC દ્વારા શહેરમાં ચાલી રહેલ તળાવોના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને આગળ વધારવાનો છે. ઈસનપુર તળાવની આસપાસના દબાણો છેલ્લા ચાર દાયકાથી અસ્તિત્વમાં હતા, જેના કારણે તળાવનું કુદરતી સ્વરૂપ અને તેની જગ્યાનો જાહેર ઉપયોગ અટકી ગયો હતો. આ પહેલાં ચંડોળા તળાવમાં પણ વિશાળ પાયે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 29 એપ્રિલથી શરૂ થયેલા ઓપરેશનમાં 800થી વધુ શંકાસ્પદ ગેરકાયદે રહેવાસીઓને અટકાયત કરવામાં આવી હતી અને બે ફેઝમાં કુલ 12,500 જેટલા માળખા તોડી પાડવામાં આવ્યા હતા. તેમાં કેટલીક ગેરકાયદે ધાર્મિક સ્થાપનાઓનો પણ સમાવેશ હતો.
ચંડોળા ઓપરેશનમાં અંદાજે 40–50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી 4 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ફરી સરકારના કબ્જામાં લીધી હતી. હવે ઈસનપુરમાં શરૂ થયેલી કાર્યવાહી એ જ અભિયાનનું આગળનું મોટું પગથિયું માનવામાં આવી રહી છે. AMCનું કહેવું છે કે આ પગલાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન, કુદરતી તળાવોનું સંરક્ષણ અને ભવિષ્યના વિકાસ માટે જરૂરી છે.
ઈસનપુરમાં હાલ કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાંથી બધા ગેરકાયદે દબાણો દૂર થયા બાદ તળાવ વિકાસનું કામ શરૂ થવાનું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel