અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની તંત્રની ઝુંબેશ જોરદાર રીતે આગળ વધી રહી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી, જેમાં હાઈવેની કિંમતી સરકારી જમીન પર વર્ષોથી કરાયેલા ગેરકાયદે બાંધકામો અને દુકાનો તોડવામાં આવ્યા.
મળતી માહિતી અનુસાર, જખવાડા ગામમાં હાઈવે રોડ નજીક કેટલીક દુકાનો, લોખંડના શેડ અને પાકી બાંધકામો વર્ષોથી ગેરકાયદેસર ઉભા કરાયેલા હતા. આ બાબતે વિરમગામ તાલુકા પંચાયત અને જખવાડા ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ નોટિસ ન માની તંત્રને સખ્ત કાર્યવાહી હાથ ધરવી પડી.
આ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદારની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી, અને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ખાસ કરીને જખવાડા બસસ્ટેન્ડ પાસે આવેલી ચાર પાકી દુકાનો, દિવાલો અને પતરાના શેડને જીસીબીની મદદથી તોડવામાં આવ્યાં. આ કડક પગલાંથી હાઈવે પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને વિસ્તારમાં વસતા લોકોમાં હળવી રાહત જોવા મળી છે. તંત્રની આ કામગીરી પછી હાઈવે રસ્તો ખુલ્લો થયો છે અને બસસ્ટેન્ડ વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે, જે સ્થાનિકો માટે લાભદાયક સાબિત થઇ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel