પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિયા પર પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન ટાંકીને પુસ્તકની વાસ્તવિક સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી.
તેમણે સંયમિત ભાષામાં લખ્યું કે પુસ્તકની હાલની સ્થિતિ પ્રકાશકના નિવેદન મુજબ છે, જેના આધારે સ્પષ્ટ થાય છે કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી અને બજારમાં ઉપલબ્ધ પણ નથી.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
પ્રકાશકની સ્પષ્ટતા: પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ 9 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ‘Four Stars of Destiny’ના એકમાત્ર પ્રકાશન અધિકાર ધરાવે છે. પરંતુ પુસ્તક હજુ સુધી કોઈપણ પ્રિન્ટ અથવા ડિજિટલ સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યું નથી.
પ્રકાશકે વધુમાં કહ્યું કે પુસ્તકની જાહેરાત અથવા પ્રી-ઓર્ડર સુવિધા હોવી એ પ્રકાશન ગણાતું નથી. પુસ્તક ત્યારે જ પ્રકાશિત ગણાય જ્યારે તે રિટેલ પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ બને.
પ્રકાશન ગૃહે ચેતવણી આપી છે કે જો પુસ્તકની કોઈ પ્રિન્ટ, PDF અથવા ડિજિટલ કોપી જાહેરમાં ફરતી હોય તો તે અનધિકૃત ગણાશે અને કોપીરાઇટ ઉલ્લંઘન હેઠળ આવે છે. આવી પ્રવૃત્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
જનરલ નરવણે, જે ભારતીય સેનાના 28મા ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) રહી ચૂક્યા છે, દ્વારા લખાયેલા આ પુસ્તકમાં કેટલીક સંવેદનશીલ મુદ્દાઓનો સમાવેશ હોવાનું કહેવાય છે. જેના કારણે રક્ષા મંત્રાલય દ્વારા ક્લિયરન્સ પ્રક્રિયા ચાલુ છે અને પુસ્તક હજુ પ્રકાશન માટે મંજૂર થયું નથી.
રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ
તાજેતરમાં લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ પુસ્તક પર આધારિત હોવાનો દાવો કરતા એક મેગેઝિનના લેખનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેઓ પુસ્તકની નકલ સાથે સંસદ પહોંચ્યા હતા. આ ઘટનાના બાદ પુસ્તકની કેટલીક કોપીઓ ઇન્ટરનેટ પર શેર થવા લાગી હતી, જેના કારણે દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel