અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગેલેરી અચાનક તૂટી પડતાં લોકો ઘરમાં ફસાઈ ગયા હતા.
20થી 25 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતાં જ ગોમતીપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બેથી વધુ ફાયર ટેન્ડર ગાડીઓ સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 20થી 25 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટીમ સતત પ્રયત્ન કરી રહી છે.
પોલીસ અને એસ્ટેટ વિભાગ પણ ઘટનાસ્થળે
દુર્ઘટનાને પગલે પોલીસ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ સુધી મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓ દ્વારા બિલ્ડિંગની સ્થિતિ અને સુરક્ષા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
ગેલેરી ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. રહેવાસીઓએ બિલ્ડિંગની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel