એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 18 જુલાઈ, શુક્રવારે સવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે અને EDની ટીમ સીઆરપીએફ (CRPF)ના જવાનોની સુરક્ષા હેઠળ સવારે 6 વાગ્યે ત્રણ વાહનોમાં તેમના ઘેર પહોંચી હતી. દરોડાની પૃષ્ઠભૂમિમાં બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ વિરુદ્ધ શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં નવા પુરાવાઓ મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ED અગાઉ ચૈતન્ય બઘેલને આ શરાબ કૌભાંડના દોષિત નફાના લાભાર્થી તરીકે ઓળખી ચૂક્યું છે. તપાસ મુજબ, આ કૌભાંડથી 2019 થી 2022 વચ્ચે છત્તીસગઢના રાજ્ય ખજાનાને રૂ. 2,100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો ગંભીર આરોપ છે. અધિકારીઓએ bઘેલના નિવાસસ્થાન પર તલાશી દરમિયાન કેટલીક દસ્તાવેજી માહિતી અને ઇલેક્ટ્રોનિક ડેટા પણ જપ્ત કર્યા હોવાની આશંકા છે.
ભૂપેશ બઘેલે X (પૂર્વ Twitter) પર કરવામાં આવેલી ટિપ્પણીમાં આ દરોડાને ખુલ્લેઆમ “રાજકીય પ્રેરિત” કાર્યવાહી ગણાવી છે. તેમણે જણાવ્યું કે, વિધાનસભાના સત્રના છેલ્લે દિવસે તેઓ તમનારમાં અદાણીના કોલસા ખાણના પ્રોજેક્ટ માટે કરવામાં આવેલા ઝાડના વિનાશના મુદ્દે અવાજ ઉઠાવવાનો ઇરાદો રાખતા હતા. પરંતુ એ પહેલા જ EDની કાર્યવાહી શરૂ થઈ ગઈ, જે તેમને રાજકીય રીતે દબાવવા માટેનો પ્રયાસ હોવાનું તેઓ માને છે.
ED आ गई.
आज विधानसभा सत्र का अंतिम दिन है.
अडानी के लिए तमनार में काटे जा रहे पेड़ों का मुद्दा आज उठना था.
भिलाई निवास में “साहेब” ने ED भेज दी है.
(कार्यालय- भूपेश बघेल)
— Bhupesh Baghel (@bhupeshbaghel) July 18, 2025
આ દરમ્યાન, મહાદેવ સટ્ટા એપ કેસને લઈને પણ તપાસ કરવામાં આવી રહી હોવાની અફવાઓ પણ તીવ્ર છે. EDના સૂત્રો અનુસાર, આ કેસમાં પણ કેટલાક સરકારી અને પ્રાઇવેટ નેટવર્ક્સ સાથે જોડાયેલા નિર્દિષ્ટ લોકોની સંડોવણીની તપાસ ચાલી રહી છે. જોકે, એજન્સી તરફથી હજુ સુધી દરોડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે તે ચોક્કસ કયા કેસ માટે કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ છત્તીસગઢની રાજકારણમાં તીવ્ર ચકાસણીનું કેન્દ્ર બની ગયું છે અને વિરોધપક્ષોએ પણ આ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર રાજકીય દુસ્મનાવટ દાખવવાનો આરોપ મુક્યો છે. હવે જોઈ શકાય કે EDની આગામી કાર્યવાહી કઈ દિશામાં જાય છે અને આ કેસમાં નવા ખુલાસાઓ કેવા થાય છે.