click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ
Gujarat

‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો.

Last updated: 2025/06/26 at 11:00 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટી માં ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગંભીર લશ્કરી તણાવ થયો હતો. તે પછી કોઈપણ ભારતીય વરિષ્ઠ મંત્રીની આ પ્રથમ ચીન યાત્રા છે. બે દિવસીય આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આતંકવાદ સામે લડવા માટે દેશો વચ્ચે વધુ સહયોગ કરવાની વાત કરશે.

Contents
આતંકવાદ, શાંતિ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા આપણી સુરક્ષા માટે આતંકવાદ સામેની લડાઈમાં એકજૂટ થવું જોઈએઆતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી અને તેને નિશાન બનાવવામાં અચકાઈશું નહીંજે લોકો આતંકવાદને ટેકો આપે છે, તેને પરિણામ ભોગવવા પડશેઆતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ

આતંકવાદ, શાંતિ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા 

આ બેઠક દરમિયાન, રાજનાથ સિંહે આતંકવાદ, શાંતિ અને સુરક્ષા જેવા ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ‘મારું માનવું છે કે આપણા પ્રદેશમાં સૌથી મોટી મુશ્કેલીઓ શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે જોડાયેલી છે અને આ સમસ્યાઓનું મુખ્ય કારણ વધતો કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ છે.’

Defence Minister @rajnathsingh attends the SCO Defence Ministers’ Meeting in Qingdao, China.

Mr Singh says India’s zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. We have shown that epicentres of… pic.twitter.com/Hy2W98l7uT

— All India Radio News (@airnewsalerts) June 26, 2025

આપણી સુરક્ષા માટે આતંકવાદ સામેની લડાઈમાં એકજૂટ થવું જોઈએ

રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, ‘આતંકવાદ અને આતંકવાદી જૂથોના હાથમાં મોટા પાયે વિનાશ કરી શકે તેવા શસ્ત્રો (WMD – Weapons of Mass Destruction)ના કારણે દેશમાં શાંતિ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે અને આપણે આપણી સુરક્ષા માટે આતંકવાદ સામેની લડાઈમાં એકજૂટ થવું જોઈએ.’

આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી અને તેને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં

આતંકવાદ પ્રત્યે ભારતની નીતિ વિષે વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ આજે અમારા કામમાં દેખાય છે. તેમાં આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાનો અમારો અધિકાર પણ સામેલ છે. અમે બતાવી દીધું છે કે આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં.’

જે લોકો આતંકવાદને ટેકો આપે છે, તેને પરિણામ ભોગવવા પડશે

સંરક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘એ ખૂબ જ જરૂરી છે કે જે લોકો આતંકવાદને ટેકો આપે છે, તેને પોષે છે અને પોતાના નાના અને સ્વાર્થી હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે, તેમને તેના પરિણામ ભોગવવા પડશે. કેટલાક દેશો સરહદ પારના આતંકવાદને પોતાની નીતિના સાધન તરીકે વાપરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. આવા બેવડા ધોરણો માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. SCO એ આવા દેશોની ટીકા કરવામાં અચકાવું ન જોઈએ.’

આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ

22 એપ્રિલ 2025ના રોજ આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો અને પીડિતોને ધાર્મિક ઓળખના આધારે ઓળખીને ગોળી મારવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકી જૂથ લશ્કર-એ-તૈયબાના એક પ્રતિનિધિ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી.

રાજનાથ સિંહે કહ્યું કે, ‘કોઈપણ દેશ, ભલે તે કેટલો પણ મોટો અને શક્તિશાળી કેમ ન હોય, એકલા કામ કરી શકતો નથી.  વૈશ્વિક વ્યવસ્થા કે બહુપક્ષવાદનો મૂળ વિચાર એ ધારણા છે કે રાષ્ટ્રોએ પોતાના પરસ્પર અને સામૂહિક લાભ માટે એકબીજા સાથે મળીને કામ કરવું જોઈએ. આ આપણી સદીઓ જૂની સંસ્કૃત કહેવત ‘સર્વે જન સુખિનો ભવન્તુ’ ને પણ દર્શાવે છે, જેનો અર્થ છે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ.’

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

પાટણમાં માત્ર પોણા ૨ ઇંચ વરસાદ અને શહેર થઈ ગયું તણાઈમય, નગરપાલિકા સામે ભારે રોષ

ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ

બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ

ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બાપુભાઈ બાબુભાઈ કોકણી વિજય બન્યા

TAGGED: @india, BSE, china, Defense Minister Rajnath Singh, FII, india news, latest news, Narendra Modi, news channel in india, NSE, oneindianews, SCO, Terrorists, આતંકવાદ, ચીન, ભારત, રક્ષા મંત્રી રાજનાથ સિંહે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય
Next Article સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણમાં માત્ર પોણા ૨ ઇંચ વરસાદ અને શહેર થઈ ગયું તણાઈમય, નગરપાલિકા સામે ભારે રોષ
Gujarat Patan જૂન 26, 2025
ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ
Gujarat Mahisagar જૂન 26, 2025
‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ
Gujarat જૂન 26, 2025
બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ
Botad Gujarat જૂન 26, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?