ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક શહેર વારાણસીમાંથી એક ભાવુક અને અનોખી ઘટના સામે આવી છે. કેનેડાથી મોક્ષની શોધમાં આવેલા તારસ તનાસોવ (55)ના અવસાન બાદ તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યો, જ્યારે તેમની પત્ની કેનેડાથી વીડિયો કોલ દ્વારા આ અંતિમયાત્રા નિહાળતી રહી.
મોક્ષ માટે કાશી આવ્યા, સાધુ જેવી જીવનશૈલી અપનાવી
માહિતી મુજબ, તારસ તનાસોવ લગભગ સાત મહિના પહેલા પોતાની પત્નીથી નારાજ થઈને કાશી આવ્યા હતા. અહીં તેમણે મોક્ષ મેળવવાની ઇચ્છા સાથે સાધુઓ જેવી જીવનશૈલી અપનાવી હતી અને આધ્યાત્મિક જીવન જીવતા હતા.
બીમારી બાદ હોસ્પિટલમાં દાખલ, 15 એપ્રિલે અવસાન
વારાણસીના ઘાટ વિસ્તારમાં તેઓ અચાનક બીમાર પડી ગયા હતા. સ્થાનિક સમાજસેવક અમન કબીરે માનવતા દાખવી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 15 એપ્રિલે તેમનું અવસાન થયું હતું.
મણિકર્ણિકા ઘાટ પર હિન્દુ વિધિથી અંતિમ સંસ્કાર
તારસના અવસાન બાદ તેમની પત્ની ભારત આવી શકી નહોતી. જોકે, તેમણે કેનેડા એમ્બેસી મારફતે સત્તાવાર મંજૂરી મોકલી, જેથી તેમના પતિના અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ થઈ શકે.
હોસ્પિટલથી અંતિમયાત્રા વિધિવત રીતે કાઢવામાં આવી અને મણિકર્ણિકા ઘાટ પર પરંપરાગત રીતિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
પત્નીએ વીડિયો કોલ દ્વારા આપી અંતિમ વિદાય
આ ઘટનાનો સૌથી ભાવુક પાસો એ રહ્યો કે તારસની પત્ની એલન કેનેડાથી વીડિયો કોલ દ્વારા સમગ્ર અંતિમયાત્રા નિહાળતી રહી. ભીની આંખે તેમણે પોતાના પતિને અંતિમ વિદાય આપી.
આ અંતિમવિધિ દરમિયાન વારાણસીમાં રહેલા કેટલાક વિદેશી નાગરિકો પણ હાજર રહ્યા હતા, જે ઘટનાને વધુ વિશેષ બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel