ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલા ‘આઈ લવ મુહમ્મદ’ મુદ્દે ચાલેલા વિવાદની લહેર હવે પંજાબના જાલંધર સુધી પહોચી છે, જ્યાં શુક્રવારની સાંજે એક હિંદુ યુવક સાથે ‘જય શ્રી રામ’ બોલવાના કારણે ઇસ્લામી કટ્ટરપંથીઓએ તૂટી પડ્યાં અને તેની મારપીટ કરવાનો પ્રયાસ કર્યો. 3 ઑક્ટોબરની સાંજે લગભગ 4 વાગ્યે ઓલ ઇન્ડિયા ઉલેમા કાઉન્સિલના ચેરમેન મોહમ્મદ અકબર અલીના નેતૃત્વમાં મુસ્લિમ સમુદાયના લોકો કમિશનર કાર્યાલયની બહાર એકઠા થઈ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના કહેવા અનુસાર, તેઓ દેશભરમાં મુસ્લિમ સમુદાય સામે થતા કથિત ભેદભાવ અને ઉત્પીડનના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યા હતા, અને આ દરમિયાન ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે એક સ્કૂટી ચલાવતો યુવક યોગેશ પસાર થઈ રહ્યો હતો, જેનું કહેવું છે કે તેણે જવાબમાં ‘જય શ્રી રામ’ બોલ્યું. આના પગલે કેટલાક લોકો તેને રોકી લીધા, સ્કૂટીની ચાવી છીનવી લીધી અને મારપીટ કરવાનો પ્રયાસ કર્યો. યોગેશે આરોપ લગાવ્યો કે તેને જબરદસ્તી ‘અલ્લાહુ અકબર’ નારો લગાવવા કહેવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી કે જો તેણે નારો ન લગાવ્યો તો તેની જાનને જોખમ પહોંચાડવામાં આવશે. આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવા છતાં, કોઈએ તેને બચાવવાનો પ્રયાસ ન કર્યો.
ઘટનાની જાણ થતાં જ બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. એક તરફ ‘જય શ્રી રામ’ના નારા અને બીજી તરફ ‘અલ્લાહુ અકબર’ના નારા વાગવા લાગ્યા, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું. ઘટનાની વિરોધ સ્વરૂપે હિંદુ સંગઠનોએ પ્રેસ ક્લબ ચોક પર પ્રદર્શન કર્યું અને બાદમાં બીએમસી ચોક પર રસ્તો બંધ કરી દીધો. પ્રદર્શનકારોએ હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો.
પોલીસે યોગેશની ફરિયાદના આધારે મુસ્લિમ સમુદાયના ચાર શખ્સો—આયુબ ખાન, નમીન ખાન અને અન્ય બે લોકો—વિરોધમાં કેસ નોંધ્યો છે. ડીસીપી નરેશ ડોગરાએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકતા નથી અને વાતાવરણ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાસ્થળે તણાવને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. હિંદુ સંગઠનો દ્વારા આરોપીઓની ધરપકડ માટે શનિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, અને પોલીસ દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં વધુ કોઈ અશાંતિ ન સર્જાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel