છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આજે બપોરે એક ભયાનક રેલ દુર્ઘટના બની છે, જેમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે સીધી અથડામણ થઈ હતી. આ અકસ્માત લાલખદાન રેલવે ક્ષેત્રમાં બપોરે આશરે ચાર વાગ્યે થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 6થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે ડઝનથી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
માહિતી મુજબ, હાવડા રૂટ પર ચાલી રહેલી પેસેન્જર મેમુ ટ્રેનનો એક ડબ્બો અચાનક સામેથી આવી રહેલી માલગાડી સાથે અથડાયો. અથડામણ એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનનો આગળનો હિસ્સો સંપૂર્ણપણે કચડી ગયો, અને અનેક મુસાફરો ડબ્બામાં ફસાઈ ગયા. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ફસાયેલા મહિલાઓને બચાવ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહી છે.
Bilaspur, Chhattisgarh: A local goods train coming from Raigarh collided with another train from behind. Details about casualties or injuries are yet to be confirmed pic.twitter.com/0zNQizPXO0
— IANS (@ians_india) November 4, 2025
ઘટનાની જાણ થતાં જ રેલવે વહીવટી તંત્ર અને ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી માટે એનડીઆરએફ (રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ) અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો પણ જોડાઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બિલાસપુરના સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે વિશેષ વોર્ડ તૈયાર કરાયા છે. ડોક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે.
દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોના પરિવારજનો પોતાના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે. આ દુર્ઘટના બાદ હાવડા રૂટ પર ટ્રેનોનું સંચાલન અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. આ માર્ગ પર ચાલી રહેલી અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોના રૂટ ડાયવર્ટ અથવા રદ કરવામાં આવ્યા છે.
A passenger train collided with a stationary goods train near #Jairamnagar station in #Chhattisgarh’s Bilaspur district under SECR Zone. The accident involved the Korba Passenger train. Rescue ops underway. pic.twitter.com/TJj2FnWdU1
— Ashish (@KP_Aashish) November 4, 2025
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, અથડામણ બાદ ડબ્બાઓમાંથી ચીસો અને રડારડનો માહોલ સર્જાયો હતો, અને અનેક લોકો ટ્રેનના કચરામાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
હાલ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે, જોકે અનુમાન છે કે સિગ્નલ ફેલ્યોર અથવા માનવીય ભૂલને કારણે આ ભયાનક દુર્ઘટના બની હોય શકે. રેલવે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, અને રેલવે સુરક્ષા આયોગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.
આ દુર્ઘટનાએ સમગ્ર બિલાસપુર વિસ્તારને હચમચાવી દીધો છે, અને મુસાફરો તથા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel