પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવને લઈને પીએમ મોદી એ રાજ્યસભા તેમજ લોકસભામાં વિસ્તૃત નિવેદન આપ્યું. Iran, Israel અને United States વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. વડાપ્રધાને ચેતવણી આપી કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેના ગંભીર દુષ્પરિણામો સામે આવી શકે છે.
#WATCH | West Asia conflict | In Rajya Sabha, PM Narendra Modi says, "I have spoken to the Heads of States of most of the West Asian countries twice. We are in continuous communication with all Gulf countries. We are also in communication with Iran, Israel and US. Our goal is the… pic.twitter.com/vmAei6qjWu
— ANI (@ANI) March 24, 2026
ઊર્જા સપ્લાય પર અસર, હોર્મુઝ સ્ટ્રેટમાં પડકાર
PM મોદીએ જણાવ્યું કે ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસની આયાત Strait of Hormuz મારફતે કરે છે. હાલની પરિસ્થિતિમાં આ માર્ગ પર જહાજોની અવરજવર પડકારજનક બની ગઈ છે. તેમ છતાં, સરકાર પેટ્રોલ, ડીઝલ અને LPGની સપ્લાય જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. ભારત લગભગ 60% LPG આયાત કરે છે, જેના કારણે સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે અને દેશની અંદર ઉત્પાદન વધારવાના પ્રયાસો તેજ બનાવાયા છે.
#WATCH | West Asia conflict | In Rajya Sabha, PM Narendra Modi says, "…It has been more than 3 weeks since the war in West Asia started. The war has caused a serious energy crisis in the world. For India, too, this situation is concerning. The war has impacted our trade routes.… pic.twitter.com/OSqX2GwQ0P
— ANI (@ANI) March 24, 2026
ભારતીય જહાજો અને ક્રૂની સુરક્ષા પર ખાસ ધ્યાન
વડાપ્રધાને જણાવ્યું કે ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. Strait of Hormuzમાં અનેક જહાજો ફસાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સામેલ છે. સરકારે 24×7 કંટ્રોલ રૂમ, હેલ્પલાઇન અને દૂતાવાસો દ્વારા સતત સહાય શરૂ રાખી છે. અત્યાર સુધી લગભગ 3.75 લાખ ભારતીયોને સુરક્ષિત રીતે વતનમાં પરત લાવવામાં આવ્યા છે.
#WATCH | West Asia conflict | In Rajya Sabha, PM Narendra Modi says, "About 1 crore Indians live and work in the Gulf countries. Safeguarding their life and livelihoods is a matter of great concern for India. Several ships are stuck in the Strait of Hormuz. Indian crew members… pic.twitter.com/tuKeKh1sT8
— ANI (@ANI) March 24, 2026
રાજદ્વારી પ્રયાસો — શાંતિ માટે ભારતનો આગ્રહ
PM મોદીએ જણાવ્યું કે ભારત Iran, Israel, United States અને ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છે. તેમણે પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે બે વખત સીધી વાતચીત કરી છે. ભારતનો સ્પષ્ટ અભિગમ છે કે સંવાદ અને કૂટનીતિ દ્વારા જ આ સંકટનો ઉકેલ શક્ય છે. વેપાર માર્ગો પર હુમલા અને હોર્મુઝમાં અવરોધને ભારતે અસ્વીકાર્ય ગણાવ્યું છે.
#WATCH | West Asia conflict | In Rajya Sabha, PM Narendra Modi says, "About 1 crore Indians live and work in the Gulf countries. Safeguarding their life and livelihoods is a matter of great concern for India. Several ships are stuck in the Strait of Hormuz. Indian crew members… pic.twitter.com/tuKeKh1sT8
— ANI (@ANI) March 24, 2026
આત્મનિર્ભરતા તરફ ભારતના પગલાં
વડાપ્રધાને જણાવ્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊર્જા આયાતનું વિકેન્દ્રીકરણ કર્યું છે. અગાઉ 27 દેશોમાંથી આયાત થતી ઊર્જા હવે 41 દેશોમાંથી આયાત થઈ રહી છે. શિપબિલ્ડિંગ, રેર અર્થ મિનરલ્સ અને સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ઇથેનોલ બ્લેન્ડિંગ (20%), રેલવે વીજળીકરણ, ઇલેક્ટ્રિક બસો અને રિન્યુએબલ એનર્જીમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હાલમાં દેશ 250 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી રહ્યો છે અને 40 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
પેટ્રોલિયમ ભંડાર અને ઊર્જા સુરક્ષા
PM મોદીએ જણાવ્યું કે ભારત પાસે હાલમાં 53 લાખ મેટ્રિક ટનનું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ઉપલબ્ધ છે. ઉપરાંત, ઓઈલ કંપનીઓ પાસે પણ પૂરતો જથ્થો છે. સરકાર ગલ્ફ ક્ષેત્રના શિપિંગ રૂટ પર સતત નજર રાખી રહી છે અને અન્ય દેશો સાથે સંકલન કરીને ઓઈલ, ગેસ અને ખાતરના જહાજોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહી છે.
કાળાબજારી સામે કડક કાર્યવાહી, રાજ્ય સરકારોને અપીલ
આ સંકટ દરમિયાન વડાપ્રધાને રાજ્ય સરકારોને કાળાબજારી અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય જાળવી રાખવી અને ગરીબ-મજૂરોને સહાય પહોંચાડવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. તેમણે ‘ટીમ ઇન્ડિયા’ના માળખામાં કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવાની અપીલ કરી.
કોરોના સમયનું ઉદાહરણ, સંકટ સામે તૈયારી જરૂરી
PM મોદીએ કોરોનાકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે તે સમયે કેન્દ્ર અને રાજ્યોએ મળીને સફળતાપૂર્વક સંકટનો સામનો કર્યો હતો. હાલની પરિસ્થિતિમાં પણ દેશવાસીઓને ધૈર્ય રાખવા, અફવાઓથી દૂર રહેવા અને દરેક પડકાર માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર સતર્ક છે અને દેશના હિતમાં દરેક જરૂરી નિર્ણય લઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel