છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે.
તાજેતરમાં છત્તીસગઢમાં કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી અહીંયા સુરક્ષા ફરજ પર રહેલાં જવાનોએ જીવ ગુમાવ્યાં છે. આ ઘટનામાં વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે.
મોરારિબાપુ દ્વારા આ શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી જવાનોનાં વારસદારોને રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે, તેમ જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel