ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને આધારે સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો. શુક્રવારની નમાજ પછી સાંજે લગભગ 6.30 વાગ્યે પોસ્ટ વાયરલ થતાં જ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં રસ્તા પર ઊતરી આવ્યા. પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ, લોકો ઉગ્ર બનીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા અને “આરોપીઓને સોંપો” તેમજ “અલ્લાહુ અકબર”ના નારા લગાવ્યા.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લઈ FIR નોંધાવી, છતાં પણ ભીડ ત્રણ કલાક સુધી સ્ટેશનની બહાર જામી રહી. ભીડમાં કેટલાક અસામાજિક તત્વોએ માહોલને વધુ ઉગ્ર બનાવવા હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી, જેના કારણે તણાવ વધુ વધી ગયો. પરિસ્થિતિ સંભાળવા માટે પોલીસએ શરૂઆતમાં સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, મૌલાનાઓને બોલાવીને લોકોને શાંત રહેવાની અપીલ કરાવી. છતાં પણ ભીડ કાબૂમાં ન આવતા પોલીસે લાઠીચાર્જ કરવાની કાર્યવાહી કરી, જેના કારણે નાસભાગ મચી ગઈ અને ધીમે ધીમે ભીડ છટકવા લાગી.
थाना सदर बाजार क्षेत्रान्तर्गत एक व्यक्ति द्वारा सोशल मीडिया पर अभद्र टिप्पणी करने की घटना पर पुलिस द्वारा कृत कार्यवाही तथा जनपद वासियों से शांति व्यवस्था की अपील के सम्बन्ध में #SP_SHA की बाइट। @Uppolice @adgzonebareilly pic.twitter.com/9PislHnax7
— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) September 12, 2025
ત્રણ કલાકના હોબાળા પછી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો. ઘટનાને લઈને જિલ્લા વહીવટીતંત્ર ચેતન થયું અને શાંતિ જાળવવા અપીલ કરી. ડીએમ ધર્મેન્દ્ર પ્રતાપ સિંઘે જણાવ્યું કે આરોપીને પકડી લેવાયો છે, વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરાઈ છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે માહોલ બગાડવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો પર કડક કાનૂની કાર્યવાહી થશે. આ સમગ્ર બનાવે ફરી એકવાર સોશિયલ મીડિયા પર થયેલી પોસ્ટને કારણે સમુદાયોમાં ઉગ્ર પરિસ્થિતિ ઊભી થવાની ગંભીરતા સામે મૂકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel