નડિયાદની સેસન્સ અદાલતે આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન રહે. નડિયાદનાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની અરજીમાં સરકારી વકીલ ધવલ આર. બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે.
હાલના બનાવ મુખ્ય આરોપી સ્ટિવન ભાનુભાઈ મેકવાન રેસ્ટોરેશન રિવાઈવલ ફાઉન્ડેશન નામની સંસ્થા હેઠળ રેસ્ટોરેશન રિવાઈવલ બાઈબલ કોલેજ ” સેવ ધ સાઉલ ના નેજા હેઠળ નડિયાદ ખાતે આવેલ રામ તલાવડી વિસ્તારમાં આશિર્વાદનગર સોસાયટીમાં ઈશુદાસ વાઘેલાના મકાનમાં ગુજરાતમાં તેમજ ગુજરાત બહારના રાજ્યોમાં વસતા અનુસુચીત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને ખ્રિસ્તી ધર્મના ચમત્કારોની વાતો કરી તેમજ ગમે તેટલી ગંભીર બીમારીમાંથી પણ સાજા થઇ જવાય જેવા વિવિધ પ્રલોભનો આપી તેઓને બાપ્તિસ્મ આપી હિંદુ ધર્મમાંથી ખ્રીસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતું હોવાનું ષડયંત્ર પોલીસે રંગે હાથે પકડેલ છે અને તપાસ દરમ્યાન ખુબ જ મોટા પાયા ઉપર આ સંસ્થા અન્ય કિસ્ચિયન મિશનરીઓ દ્વારા નાણાકીય ફંડિંગ થતું હોવાનું ખુલવા પામેલ છે. તપાસમાં આરોપી સ્ટીવન દ્વારા અસંખ્ય ભોળા લોકોનું લાલચ પ્રલોભન આપીને ખ્રીસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામેલ છે.
જામીન અરજી નામંજૂર કરવા માટે સરકારી વકીલ ધવલ આર. બારોટની મુખ્ય દલીલો ૧. આરોપી રેસ્ટોરેશન રિવાઈવલ ફાઉન્ડેશન નામની સંસ્થાનો મુખ્ય વહીવટકર્તા અને પ્રમુખ છે. ૨. આરોપીનો ધર્મતરણ નું નેટવર્ક ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, હરિયાણા અને દીલ્હી જેવા રાજ્યો સુધી ફેલાયેલું છે. તેમજ વિદેશોમાં પણ તેનું નેટવર્ક ફેલાયેલું છે. 3. આરોપી ધર્માંતરણ કરાવવાના આંકડા પ્રોજેક્ટ સ્વરૂપે તૈયાર કરતો અને તેના આધારે મિશનરીઓ પાસેથી મોટું ફંડિંગ મેળવતો અને તે આવી સંસ્થાઓ સાથે સીધા સંપર્કમાં હતો. ૪. આરોપીએ પોતાના મોબાઇલ લેપટોપ માંથી ખુબ જ મોટા પ્રમાણમાં રેકોર્ડ કરેલા ફોટા તથા વિડિયો જે મહત્વના પુરાવા હતાં તેને ડિલિટ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે. ૫. આ કેસની તપાસ હાલ ચાલુ હોય આરોપી પોતે પુરાવાનો નાશ કરે તેવી સંભાવના હોય આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel