મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના નિધનની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાને લઈને માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
દિગ્ગજ નેતાના નિધન પર દેશભરના રાજકીય વર્તુળોમાંથી સંવેદનાઓ વ્યક્ત થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે બારામતીમાં એક દુઃખદ ઘટના બની છે. અજિત પવાર એક લોકનેતા હતા અને તેમણે જનસેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
— Narendra Modi (@narendramodi) January 28, 2026
મહારાષ્ટ્ર સરકારમાં સત્તાસાથી અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના સહયોગીના નિધનથી ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે અને રાજ્યએ એક અનુભવી નેતાને ગુમાવ્યો છે.
આ દુર્ઘટનાએ અન્ય રાજ્યોના નેતાઓને પણ ઝંકૃત કર્યા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે આ સમાચાર સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા છે. તેમણે અજિત પવારના પરિવાર, તેમના કાકા શરદ પવાર અને તેમના ચાહકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને ઘટનાની તપાસ થવી જોઈએ તેવી માંગ કરી.
Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.
My condolences to his family including his uncle…
— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ વિમાન દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી. તેમણે કહ્યું કે આ સમાચારથી તેમનું હૃદય ચીરાઈ ગયું છે અને અજિત પવારને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
महाराष्ट्र के बारामती में हुए दुर्भाग्यपूर्ण विमान हादसे में महाराष्ट्र के उप मुख्यमंत्री श्री अजित पवार जी एवं अन्य सदस्यों का निधन अत्यंत दुःखद एवं हृदय विदारक है। उन्हें विनम्र श्रद्धांजलि।
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि…
— Yogi Adityanath (@myogiadityanath) January 28, 2026
જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના અહેવાલોથી તેઓ ખૂબ જ આઘાતમાં છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી અને મૃત આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી.
Deeply shocked & saddened by reports of a tragic private plane crash claiming the life of Maharashtra Deputy CM Ajit Pawar along with others. My heartfelt condolences to the bereaved families. May the departed souls rest in peace.
— Mehbooba Mufti (@MehboobaMufti) January 28, 2026
અજિત પવારના અચાનક નિધનના અહેવાલોએ દેશભરમાં શોકનું માહોલ સર્જી દીધું છે અને રાજકીય, સામાજિક ક્ષેત્રે તેને મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel