ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સમિટમાં ભાગ લેવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પહોંચીને મહત્વપૂર્ણ ભાષણ આપ્યું. તેમના સંબોધનમાં તેમણે આતંકવાદ, પ્રાદેશિક શાંતિ, મજબૂત કનેક્ટિવિટી અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા. ખાસ કરીને તાજેતરના પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે પાકિસ્તાન પર સીધી નિશાનસાધી કરી હતી.
#WATCH | At the Shanghai Cooperation Council (SCO) Members Session in Tianjin, China, Prime Minister Narendra Modi says, "Security, peace and stability are the basis of development of any country. But terrorism, separatism and extremism are big challenges in this path. Terrorism… pic.twitter.com/BCEm6JfJFj
— ANI (@ANI) September 1, 2025
વડા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદ આજના સમયમાં પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સૌથી મોટો ખતરો છે. ભારતે હંમેશાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આગળ પણ તેમાં કોઈ સમજૂતી નહીં કરે. મોદીએ પાકિસ્તાનને ઘેરીને કહ્યું કે કેટલાક દેશો ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, જે સ્વીકાર્ય નથી. તેમણે સ્પષ્ટતા કરી કે આતંકવાદ પર કોઈપણ પ્રકારના બેઉધા ધોરણો ચાલશે નહીં અને દરેક દેશને એકતા સાથે તેનો વિરોધ કરવો જ પડશે. આતંકવાદ સમગ્ર માનવતા માટે પડકાર છે, કોઈ એક દેશ કે સમાજ સુરક્ષિત નથી.
મોદીએ યાદ અપાવ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી નિર્દયી આતંકવાદનો ભોગ બનતું આવ્યું છે. અસંખ્ય પરિવારો તૂટી ગયા છે, અનેક બાળકો અનાથ થયા છે અને હજારો નિર્દોષ જીંદગીઓ ગુમાઈ ગઈ છે. તાજેતરના પહલગામ હુમલાને તેમણે માનવતાની આત્મા પરનો હુમલો ગણાવ્યો અને કહ્યું કે આ હુમલો માત્ર ભારત સામેનો નહિ, પરંતુ તમામ દેશો માટે ચેતવણી છે કે આતંકવાદ સામે એકતા જરૂરી છે. SCO-RATS દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું તેમણે સ્વાગત કર્યું અને જણાવ્યું કે ભારતે આતંકવાદને મળતી નાણાકીય સહાય અને કટ્ટરવાદનો સામનો કરવા માળખું ઊભું કરવાની પહેલ કરી છે. અલ-કાયદા અને તેના જોડાયેલા સંગઠનો સામે સંયુક્ત સૂચના અભિયાનનું નેતૃત્વ પણ ભારતે કર્યું છે.
#WATCH | "We have to say clearly and unanimously that no double standards are acceptable on terrorism…" says Prime Minister Narendra Modi at the Shanghai Cooperation Council (SCO) Members Session in Tianjin, China
PM Modi says, "… This attack was an open challenge to every… https://t.co/n9LlMc91Kq pic.twitter.com/UtlvwlHo5B
— ANI (@ANI) September 1, 2025
આતંકવાદ સિવાય મોદીએ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ધ્યાન ખેંચ્યું. મજબૂત કનેક્ટિવિટી વિષે વાત કરતા તેમણે કહ્યું કે કનેક્ટિવિટી માત્ર વેપાર પૂરતું નથી, પરંતુ વિશ્વાસ, સહકાર અને વિકાસના દરવાજા ખોલે છે. તેમણે ચાબહાર પોર્ટ અને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે ભારતના વિકાસ માટેના મંત્ર “રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફૉર્મ” પર ભાર મૂક્યો.
મોદીએ જણાવ્યું કે ભારત આજે વ્યાપક સુધારા તરફ આગળ વધી રહ્યું છે. કોવિડ મહામારી હોય કે વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ભારતે દરેક પડકારને તકમાં ફેરવી દીધો છે. સુધારાઓએ નવા અવસરો ઊભા કર્યા છે અને આંતરરાષ્ટ્રીય સહકાર વધાર્યો છે. તેમણે SCOના સભ્ય દેશોને ભારતની વિકાસયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપ્યું.
સાથે જ વડા પ્રધાને ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમને જૂના માળખામાં કેદ કરવી એ ભવિષ્યની પેઢીઓ સાથેનો ગંભીર અન્યાય છે. તેમણે રૂપક તરીકે જણાવ્યું કે નવી પેઢીના રંગીન સપનાઓને જૂના કાળા-સફેદ પડદા પર બતાવી શકાતા નથી, એ પડદાને બદલવો જ પડશે. SCO બહુપક્ષીયતા, સમાવેશી વિકાસ અને સ્થિર વિશ્વ વ્યવસ્થા માટે માર્ગદર્શક બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel