પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે પીએમ મોદી એ બેરકપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે હવે બંગાળની “દશા અને દિશા બદલવાની છે” અને પરિણામ બાદ તેઓ સીધા શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
“દેશની જનતા જ મારો પરિવાર” – પીએમ મોદી
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે મેં ઘર છોડ્યું ત્યારથી દેશની જનતા જ મારો પરિવાર બની ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી હું દેશના ખૂણે-ખૂણે પ્રવાસ કરી રહ્યો છું અને લોકો વચ્ચે રહીને મને શાંતિ અને આનંદ મળ્યો છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ કાર્યકર તરીકે પાર્ટી જે જવાબદારી સોંપે છે, તે તેઓ સંપૂર્ણ સમર્પણથી નિભાવે છે.
#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, "Ever since I left home, I've found joy and peace in being among you all, and you are my family."
I've been travelling to every corner of the country for the last three or four decades. After entering… pic.twitter.com/KGE3aDMKxM
— ANI (@ANI) April 27, 2026
“આ મારી છેલ્લી રેલી, હવે શપથગ્રહણમાં હાજરી આપીશ”
પીએમ મોદીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં તેમની આ છેલ્લી જાહેર રેલી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 4 મેના પરિણામો બાદ તેઓ ચોક્કસપણે ભાજપના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
તેમણે પોતાના રોડ-શો દરમિયાન મળેલા જનસમર્થનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હેલિપેડથી સભાસ્થળ સુધીના રસ્તે બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉભા રહ્યા હતા, જે તેમના માટે આશીર્વાદ સમાન છે.
મા કાલીની કૃપા અને ‘તીર્થયાત્રા’ જેવો અનુભવ
પીએમ મોદીએ જણાવ્યું કે બંગાળમાં થયેલા રોડ-શો તેમના માટે માત્ર રાજકીય કાર્યક્રમ નહોતા, પરંતુ ‘તીર્થયાત્રા’ જેવા અનુભવ હતા. તેમણે કહ્યું કે દેવી કાલીના આશીર્વાદથી તેમને સતત નવી ઉર્જા મળે છે.
#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, "These road shows were not a political event for me. They were like 'Teerth Yatra' for me. I would often visit the devotees of Goddess Kali, and perhaps that was why Goddess Kali was constantly infusing me with… pic.twitter.com/z2zBlu3jl7
— ANI (@ANI) April 27, 2026
ધાર્મિક પ્રવાસ અને લાગણીનો ઉલ્લેખ
પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જાન્યુઆરી 2024માં અયોધ્યામાં યોજાયેલા આ પ્રસંગ પહેલાં તેમણે 11 દિવસનું ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન કર્યું હતું. આ દરમિયાન તેમણે દક્ષિણ ભારતના અનેક મંદિરોની મુલાકાત લીધી હતી.
તેમણે ઉમેર્યું કે બંગાળમાં મંદિરોની મુલાકાત દરમિયાન તેમને સમાન આધ્યાત્મિક અનુભવ થયો, જે બંગાળ પ્રત્યેના તેમના લગાવને દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel