દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ એક મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં કોલસો અથવા લાકડા બાળવાની સંપૂર્ણ મર્યાદા મૂકી દીધી છે. આ નિર્ણય વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છ અને સલામત વાતાવરણ પૂરુ પાડવાનો છે.
હવે તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર, અથવા અન્ય કોઈ સ્વચ્છ ઇંધણ (Clean Fuel)નો જ ઉપયોગ કરે. જો કોઇ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલક આ નિયમનું ઉલ્લંઘન કરે, તો તેની સામે રૂ. 5,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે.
સમાન રીતે, દિલ્હીમાં ખુલ્લામાં કચરો સળગાવતા પકડાયેલા વ્યક્તિઓ પર પણ રૂ. 5,000 સુધીનો દંડ લાગુ થશે. આ નિયમો કડકાઇથી લાગુ કરવા માટે જિલ્લા તંત્ર અને MCDને સંપૂર્ણ સત્તા અપાઈ છે. દિલ્હી સરકાર, ખાસ કરીને મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ફાયર વિભાગ સાથેની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બાદ નાગરિકોની સલામતી અને વ્યવસાયની સરળતા બંને જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવ્યા છે.
હોટલ, રેસ્ટોરન્ટ, નાઇટ ક્લબ, મલ્ટિપ્લેક્સ અને અન્ય વાણિજ્યિક સંસ્થાઓને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એ માટે ફાયર સેફ્ટી NOCની પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રહેશે. આ કડક પગલાં વડે સરકારનું મુખ્ય લક્ષ્ય છે કે દવા, ખાદ્ય અને વેપાર ક્ષેત્રમાં કામગીરી સરળ રાખી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, અને એક સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ સફળતા મળી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel