ભારતમાં મહિલા સશક્તિકરણ અને રાજકીય ભાગીદારીને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ગણાતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હવે અમલીકરણના તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ ઐતિહાસિક કાયદાના અમલીકરણને ધ્યાનમાં રાખીને 16 એપ્રિલે સંસદનું મહત્વપૂર્ણ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. દેશભરના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ આ સંમેલનમાં જોડાઈ હતી.
#WATCH | Delhi: At the 'Nari Shakti Vandan Sammelan', Prime Minister Narendra Modi says, "In 2023, in the new building of the Parliament, we introduced the Women's Empowerment Act. So that it can be implemented on time, a special meeting of the Parliament's Budget Session is… pic.twitter.com/1LrbVHPGDZ
— ANI (@ANI) April 13, 2026
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશની સંસદ હવે એક નવા ઇતિહાસની રચના તરફ આગળ વધી રહી છે. તેમણે આ નિર્ણયને 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકીનો એક ગણાવ્યો. “હું આજે માતા-બહેનોના આશીર્વાદ લેવા આવ્યો છું,” એમ કહી તેમણે મહિલાઓના યોગદાનને સન્માન આપ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે મહિલા અનામત માટે પેઢીઓથી પ્રયત્નો થતા રહ્યા છે અને તમામ રાજકીય પક્ષોએ તેમાં યોગદાન આપ્યું છે. સરકાર હવે નારી શક્તિને સમર્પિત આ ઐતિહાસિક નિર્ણયને અમલી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે મહિલાઓની વધતી ભાગીદારીથી દેશના લોકતંત્રને વધુ મજબૂતી મળશે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે અને રાજકીય ક્ષેત્રમાં તેમની હાજરી વધારવી સમયની જરૂરિયાત છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel