ભાજપ સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે સિહોરમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજા ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું જેનું આપણને સૌને ગૌરવ છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે સિહોરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી થઈ, જેમાં જિલ્લાભરમાંથી હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં.
રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ ઉદ્બોધન કરતાં સ્વતંત્રતા લડત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ, કટોકટી, ભાજપ સ્થાપના વગેરે સંદર્ભે તવારીખ સાથેનો ઈતિહાસ પ્રસ્તુત કર્યો અને જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું જેનું આપણને સૌને ગૌરવ છે. તેઓએ કાર્યકર્તાઓને આપણા સાંસ્કૃતિક વારસાને જાણવા અને વાગોળતા રહેવા પર ભાર મૂક્યો.
ભાજપ સ્થાપના દિવસ પ્રસંગે મહાનુભાવોએ શ્યામાપ્રસાદ મુખર્જી, કેશવ બલિરામ હેડગેવારજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી બાજપાઈ સાથે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી સુધીની નેતૃત્વ સિધ્ધિની સ્મરણ યાત્રા રજૂ કરી.
આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ આપણા પૂર્વજોના રાષ્ટ્ર સંકલ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કરી માં ભરતીનાં ચરણે અર્પણ કર્યાનો ભાવ વ્યક્ત કર્યો.
આ સમારોહ પ્રારંભે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે સૌ કાર્યકર્તાને રાષ્ટ્ર અને પક્ષ માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી તથા આવનાર ચૂંટણીઓમાં આક્ષેપોને નકારી ખભે ખભા મિલાવવવા અનુરોધ કર્યો.
સમારોહ પ્રસંગે મહામંત્રી ગેમાભાઈ ડાંગરે સ્વાગત ઉદ્બોધન કરેલ અને ગોપાલભાઈ વાઘેલાએ આભાર વિધિ કરેલ.
યુવા મોરચા અધ્યક્ષ રવિભાઈ બારૈયાના સંચાલન સાથે આ સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, નગરપાલિકા અધ્યક્ષ જાગૃતિબેન રાઠોડ, અગ્રણીઓ હર્ષદભાઈ દવે, વિરજીભાઈ સોરઠિયા, શહેર પ્રમુખ નિલેશભાઈ જાની, ગ્રામ્ય પ્રમુખ ભોજુભાઈ ડાંગર અને હોદ્દેદારો સાથે જિલ્લા ભરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં તેમ પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel