ભારત સિવિલ ન્યૂક્લિયર ઊર્જા ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમિલનાડુના Kalpakkam ખાતે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ સુધી પહોંચી ગયું છે.
આ સિદ્ધિ સાથે ભારત હવે રશિયા બાદ કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર વિશ્વનો બીજો દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
શું છે આ રિએક્ટરની ખાસિયત?
આ એડવાન્સ્ડ ફાસ્ટ બ્રીડર રિએક્ટરની સૌથી મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે તે પોતાની જરૂરિયાત કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટેક્નોલોજી દ્વારા ન્યૂક્લિયર ઊર્જાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બને છે, જે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે. નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને દેશની વૈજ્ઞાનિક ક્ષમતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.
Today, India takes a defining step in its civil nuclear journey, advancing the second stage of its nuclear programme.
The indigenously designed and built Prototype Fast Breeder Reactor at Kalpakkam has attained criticality.
This advanced reactor, capable of producing more fuel…
— Narendra Modi (@narendramodi) April 6, 2026
થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય
ભારત પાસે વિશ્વના સૌથી મોટા થોરિયમ ભંડારોમાંનું એક છે. આ રિએક્ટરની સફળતા સાથે ભારત હવે થોરિયમ આધારિત પરમાણુ ઊર્જા તરફ ઝડપથી આગળ વધી શકે છે. આ વિકાસ ભારતના ન્યૂક્લિયર કાર્યક્રમના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા માટે પાયો પૂરું પાડશે.
આથી દેશ વિદેશી યુરેનિયમ પરની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર ઊર્જા ઉત્પાદન તરફ આગળ વધશે.
‘ક્રિટીકેલિટી’ સુધીનો સફર
માર્ચ 2024માં નરેન્દ્ર મોદીએ આ રિએક્ટરના ‘કોર લોડિંગ’ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. હવે આ રિએક્ટર ‘ક્રિટીકેલિટી’ સુધી પહોંચતાં ભારત માટે એક ઐતિહાસિક મીલનો પથ્થર સાબિત થયું છે.
ભારત માટે શું મહત્વ?
- ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધશે
- સ્વચ્છ અને ટકાઉ ઊર્જા ઉત્પાદન
- વૈશ્વિક ન્યૂક્લિયર શક્તિ તરીકે ભારતની સ્થિતિ મજબૂત
- વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ક્ષમતાનો પ્રદર્શન