અયોધ્યાના પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વનો સૌપ્રથમ ‘શ્રી રામ યંત્ર‘ સ્થાપિત થવાનું છે. આ એજ ધાર્મિક વિધિ નથી, પરંતુ સનાતન પરંપરા, જ્યોતિષીય અને વૈદિક વિજ્ઞાનનો અનોખો નમૂનો છે.
વિશ્વનો પ્રથમ ‘શ્રી રામ યંત્ર’
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની માહિતી મુજબ, આ દૈવી યંત્રને મંદિરમાં છેલ્લા બે વર્ષથી પૂજવામાં આવી રહી છે. તેને 19 માર્ચ, 2026 (ચૈત્ર શુક્લ પ્રતિપદા) ના રોજ અભિજિત મુહૂર્ત દરમિયાન બપોરે 11.55 વાગ્યે વિધિવત સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગની ઉજવણી માટે અયોધ્યામાં નવ દિવસીય ભવ્ય ધાર્મિક વિધિઓ અને વૈદિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના જાણીતા જ્યોતિષ અને વિદ્વાનો ઉપસ્થિત રહેશે.
યંત્રનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ
સનાતન પરંપરામાં યંત્રોને દેવતાઓની દૈવી શક્તિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, જેમ વ્યક્તિની કુંડળી ગ્રહોની સ્થિતિ દર્શાવે છે, તેમ ‘શ્રી રામ યંત્ર‘ ભગવાન રામના ગુણો અને ઉર્જાનું ભૌમિતિક પ્રતિનિધિત્વ કરે છે. મંદિર પરિસરમાં યંત્રની સ્થાપનાથી આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી ધારણા છે.
ગુરુ ગ્રહનો પ્રભાવ
ભક્તોની માન્યતા અનુસાર, ભગવાન રામનો જન્મ કર્ક રાશિના લગ્નમાં થયો હતો, જ્યાં ગુરુ ઉચ્ચનો હતો. આ યંત્ર ‘ગજકેસરી યોગ‘ સાથે જોડાયેલું છે, જે જ્ઞાન, ન્યાય અને નૈતિકતાનું પ્રતિક છે.
સૂર્યવંશી તેજ અને નેતૃત્વ શક્તિ
ભગવાન રામ સૂર્યવંશી હોવાને કારણે આ યંત્ર સૂર્યના તેજ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિને પણ પ્રતિકરૂપે દર્શાવે છે. ભક્તો અને પ્રવાસીઓ માટે યંત્રના આ આધ્યાત્મિક અને જ્યોતિષીય ગુણો ભવ્ય અનુભવ પૂરાં પાડશે.
તીર્થક્ષેત્ર પર આધ્યાત્મિક મહોત્સવ
યંત્રની સ્થાપનાને લઈ મંદિર પરિસરમાં વિશેષ પૂજા, હવન અને આરતી આયોજન કરવામાં આવી છે. આ પ્રસંગે દેશભરના ભક્તો, ધાર્મિક વિદ્વાનો અને જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના સભ્યોના જણાવ્યા અનુસાર, આ યંત્ર મંદિરના ત્રીજા માળને વધુ પવિત્ર અને આત્મિક રીતે જીવંત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel