એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા લોહિયાળ આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિમ મુસાને ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર કરવામાં આવ્યો છે. હાશિમ મુસા એક પ્રચંડ ઘાતક અને પાકિસ્તાનથી તાલીમયાફ્તા આતંકવાદી હતો, જેના નામે દક્ષિણ કાશ્મીરની ધરતી ધબકતી હતી. તેની ઓળખ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) ના ભૂતપૂર્વ પેરા કમાન્ડો તરીકે થઇ છે. કઠોર તાલીમ બાદ તે લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનમાં જોડાયો અને સક્રિય રીતે ભારતમાં ઘાતકી કારવાઈઓને અંજામ આપતો રહ્યો.
એજન્સીઓ અનુસાર, હાશિમ મુસાએ સપ્ટેમ્બર 2023માં કશ્મીરમાં ઘુસપેઠ કરી હતી અને ત્યારથી દક્ષિણ કાશ્મીરમાં પોતાની આતંકી કોષ તૈયાર કરી હતી. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મૃત્યુ પાછળ તેનો જ હાથ હતો. આ ઉપરાંત, તેણે ગાંદરબલમાં સાત નાગરિકો અને બારામુલ્લા જિલ્લામાં ચાર સુરક્ષા કર્મચારીઓની પણ હત્યા કરી હતી. એજન્સીઓનું કહેવું છે કે મુસા ઓછામાં ઓછી છથી વધુ આતંકી ઘટનામાં સામેલ રહ્યો છે. આ આતંકી પર ₹20 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
पूरे देश का खून इन्हीं तीनों ने खौलाया था,
जब पहलगाम में इन तीनों इस्लामी आतंकियों ने धर्म पूछकर हिन्दुओं का नरसंहार किया था।
कलमा न पढ़ने पर हिन्दुओं को गोली से भून दिया था।
आज पहलगाम हमले का बदला पूरा हुआ, सावन के महीने में 'ऑपेरशन महादेव' चलाकर हमारे सुरक्षाबलों ने पहलगाम… pic.twitter.com/PN5FRBiAUC
— One India News (@oneindianewscom) July 28, 2025
હાશિમ મુસાની આતંકી પ્રવૃત્તિઓને કારણે દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પણ ભારતીય સુરક્ષા દળોએ હિંમતપૂર્વક ઓપરેશન મહાદેવ હાથ ધર્યું અને જંગલ વિસ્તારોમાં સતત શોધ બાદ અંતે મુસાને ઠાર કરી નાખ્યો. તેની પાસેથી અત્યાધુનિક હથિયારો અને ટેકનિકલ સાધનો પણ જપ્ત કરાયા છે, જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે તે પાકિસ્તાનથી ટેક્નિકલ સપોર્ટ પામતો હતો અને સ્થાનિક યુવાનોને ઉશ્કેરવા માટે પણ જવાબદાર હતો.
હાશિમ મુસાની હત્યા ભારત માટે માત્ર એક વિજય નથી, પણ એક મોટો સંદેશ પણ છે કે, ભલે દુશ્મન કેટલો પણ કાબિલ અને ઘાતકી કેમ ન હોય — જો તે ભારતની જમીન પર શાંતિને પડકાર આપશે તો તેનું અંત નિશ્ચિત છે. ઓપરેશન મહાદેવની સફળતા સાથે જ સુરક્ષા દળોએ આતંકના મોટો મોઢા બંધ કર્યો છે અને કાશ્મીરમાં એક વખત ફરી શાંતિ અને વિશ્વાસની ભાવના ફેલાઈ છે.